Cyclone Biporjoy Update : બિપોરજોય વાવાઝોડાના કારણે પશ્ચિમ રેલવેએ રદ્દ કરી વધુ સાત ટ્રેન
Cyclone Biporjoy Update : પશ્ચિમ રેલવે દ્વારા ગુરુવારની સાંજે ગુજરાત પર ત્રાટકે તેવી શક્યતા ધરાવતા ચક્રવાત બિપોરજોયની પૃષ્ઠભૂમિમાં સાવચેતીના પગલાં તરીકે ગંતવ્ય સ્થાન પહેલાં કેટલીક વધુ ટ્રેનોની સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
બુધવારના રોજ જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે, મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાત ત્રાટકવાની ધારણા બાદ સાત ટ્રેનો રદ કરવામાં આવી છે, ત્રણને તેમના ગંતવ્ય સ્થાન પહેલાં રોકવામાં આવશે. જ્યારે અન્ય ચાર ટ્રેનોને રોકી દેવામાં આવશે. તેમના નિશ્ચિત સ્ટેશનો સિવાયના સ્ટેશનો પરથી દોડે છે.

પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ચક્રવાતને કારણે 76 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે, 36 ટ્રેનોને તેમના ગંતવ્ય સ્થાન પહેલાં રોકવામાં આવશે, જ્યારે 31 ટ્રેનો તેમના નિર્ધારિત સ્ટેશનોને બદલે અન્ય સ્ટેશનોથી ચલાવવામાં આવશે.
અત્રે નોંધનીય બાબત છે કે, અરબી સમુદ્રમાંથી ઉછળેલું ચક્રવાત બિપરજોય ગુરુવારે સાંજ સુધીમાં મુખ્યત્વે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર પર ત્રાટકે તેવી સંભાવના છે.
વાવાઝોડું આવે ત્યારે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાને કારણે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છના દરિયા કિનારા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આ દરમિયાન ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના 7 જિલ્લા અને 450થી વધુ ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે કચ્છ-સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે આવેલા 7 જિલ્લામાંથી 74,000થી વધુ લોકોને સ્થળાંતર કરીને આશ્રય ગૃહોમાં મોકલ્યા છે.
રાજ્યમાં NDRFની 19 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ વાવાઝોડાને કારણે કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને જૂનાગઢમાં નુકસાન થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
બિપોરજોયના જોખમને કારણે 9 રાજ્યો પણ એલર્ટ પર છે. જેમાં ગુજરાત, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવાનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
