‘મહા' વાવાઝોડાની ગતિમાં થયો ઘટાડો, 7મીએ 80 કિમીની ઝડપે પોરબંદર-દીવ વચ્ચે ટકરાશે
ગુજરાતના સૌરાષ્ટ્ર પર જેનો ખતરો મંડરાઈ રહ્યો છે તે અરબી સમુદ્રમાં સર્જાયેલ ‘મહા' વાવાઝોડાની તીવ્રતા ધીમે ધીમે ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર પર જેનો ખતરો મંડરાઈ રહ્યો છે તે અરબી સમુદ્રમાં સર્જાયેલ 'મહા' વાવાઝોડુ 220 કિમીની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. જો કે તીવ્રતા ધીમે ધીમે ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં આ વાવાઝોડુ વેરાવળથી 680 કિલોમીટર, દીવથી 730 કિલોમીટર અને પોરબંદરથી 650 કિલોમીટરના અંતરે અરબી સમુદ્રમાં છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 7મી નવેમ્બરે સવારે આ 'મહા' વાવાઝોડુ કલાકના 80 કિલોમીટરની ઝડપે દીવ-પોરબંદર વચ્ચે ટકરાશે. 'મહા' વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકિનારાના ભરૂચ, સુરત, અમેરલી, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા ઉપરાંત અમદાવાદ, વડોદરા, આણંદ જિલ્લામાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
'મહા' વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે બેઠક બોલાવી સ્થિતિની સમીક્ષા કરી હતી. સમગ્ર તંત્ર સંભવિત 'મહા' અસરને પહોંચી વળવા માટે સજ્જ છે. રાજ્યમાં એનડીઆરઆફને 15 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. દરિયામાં ગયેલી 12 હજાર બોટ પાછી બોલાવી લેવામાં આવી છે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
