For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટણમાં દલિતે કલેક્ટર કચેરી ખાતે આત્મદાહ કર્યો

પાટણમાં એક દલિત સામાજિક કાર્યકર ભાનુભાઇ જિલ્લા કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કરતા દલિત મામલે ગુજરાત સરકારની પ્રણાલી પર ફરી એક વાર સવાલ ઊઠ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો અહીં.

|
Google Oneindia Gujarati News

પાટણમાં દલિતે કલેક્ટર કચેરી ખાતે આત્મદાહ કરતા ગુજરાતમાં દલિતો કેટલા સલામત છે તે પ્રશ્નએ ફરી વેગ પકડ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે બપોરે પાટણ જિલ્લા કચેરી ખાતે ઊંઝાના સામાજીક કાર્યકર ભાનુભાઇ વણકરે પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપન કર્યું હતું. ભડભડ સળગતું તેમનું શરીર જોઇને સંકુલમાં દોડાદોડી થઇ ગઇ છે. પોલીસ અને માણસોએ આગ ઓલવવાના પ્રયાસો કર્યા પણ તેમ છતાં તેમનું શરીર 95 ટકા બળી ગયું હતું. ઉલ્લેખનીય છે કે દુદખા ગામે દલિત પરિવારની જમીન વિવાદ મામલે તેમણે આ આત્મવિલોપન કર્યું હતું. જો કે આ અગે તેમણે 7મી તારીખે લેખિતમાં ચિમકી પણ ઉચ્ચારી હતી. અને તે પછી આજે આ અંગે આગળ કાર્યવાહી ના તથા આગને પોતાનું શરીર સોંપી દીધું હતું.

dalit

જો કે દલિત સામાજિક કાર્યકર્તા દ્વારા આવું છેલ્લુ પગલું લેવામાં આવતા પોલીસ સમેતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સાથે જ જીજ્ઞેશ મેવાણી જેવા દલિત નેતાઓએ આ અંગે આક્રોશ અને દુખ વ્યક્ત કર્યું હતું. સાથે જ સરકારને પુછ્યું હતું કે શું ગુજરાતમાં દલિતોની વ્યથાને સાંભળવા માટે કોઇ નથી કે તેમને આવા અંતિમ પગલા લેવાની જરૂર ઊભી થાય. ઉલ્લેખનીય છે કે આ મામલા પછી ફરી એક વાર ગુજરાતમાં દલિત પ્રશ્નો પર સરકારની અક્ષમતા સામે આવી છે.

English summary
Dalit activist attempts self-immolation in Patan,Gujarat. Read more on this here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X