દેવભૂમિ દ્વારકામાં 40 વર્ષ જૂનું ધાર્મિક દબાણ તોડી પડાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનેલી એક દરગાહને તોડી પાડવામાં આવી છે.
આશરે 40 વર્ષ જૂનું આ ધાર્મિક સ્થળ દરિયાકિનારે સંવેદનશીલ વિસ્તારમાં આવેલું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 18,200 ચોરસ ફૂટ જમીન ખાલી કરાવવામાં આવી, જેમાં 2,000 ચોરસ ફૂટ ગૌચરની જમીનનો પણ સમાવેશ થાય છે.

આ ગેરકાયદેસર દબાણ હટાવવા માટે પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં સ્થાનિક પોલીસ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા.
દેવભૂમિ દ્વારકાના DySP સાગર રાઠોડે જણાવ્યું કે આ દબાણ આશરે 1,500 ચોરસ મીટર સરકારી જમીન પર ઊભું કરવામાં આવ્યું હતું.
આ દબાણ હટાવવાની ઝુંબેશ વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનનો જ એક ભાગ છે. સરકારી અને ગૌચરની જમીનોને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવા માટે આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. અગાઉ પણ આવાં અનેક દબાણો દૂર કરવામાં આવ્યાં છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સરકારી જમીનોનું રક્ષણ કરવાનો છે.












Click it and Unblock the Notifications
