બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજના ઉદઘાટન પહેલા દ્વારકાને રોશનીની સજાવાયુ
ઓખાથી બેટ દ્વારકાને જોડતા દ્નારકાના સિગ્નેચર બ્રિઝનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે. આ ઉદઘાટન પહેલા દ્વારકાને રોશનીથી શણગારવામાં આવ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે દ્વારિકા નગરી રોશનીથી ઝળહળી ઉઠી છે. ગોમતી ઘાટ ખાતે મહાઆરતીની સાથે સાથે દ્વારકાધીશ મંદિર, સુદામા સેતુને શણગારવામાં આવ્યો.
સમગ્ર જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોમતી ઘાટ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુગળી બ્રાહ્મણ, અગ્રણીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓએ જોડાઈ ધન્યતા અનુભવી. આગામી ૨૩ ફેબ્રુઆરી સુધી સાંજે ૦૭:૦૦ કલાકે ગોમતી ઘાટ ખાતે મહાઆરતી યોજાશે.
જણાવી દઈએ કે, અત્યારસુધી બેટ દ્વારકા જવા માટે માત્ર હોડીઓનો સહારો લેવામાં આવતો હતો.હવે બ્રિજ બની જતા વાહનો તેમજ પગપાળા પણ જઈ શકાશે.












Click it and Unblock the Notifications
