ગાંધીનગર: STના ફિક્સ પગારના કર્મચારીઓની દિવાળી સુધરી, DyCM હર્ષ સંઘવીનો મોટો નિર્ણય
ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)માં ફરજ બજાવતા ફિક્સ પગારના હજારો કર્મચારીઓ માટે આ દિવાળી આનંદમય બની રહેશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી (DYCM) હર્ષ સંઘવીએ પોતાના કાર્યભારના પ્રથમ દિવસે જ એસ.ટી. કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે.

₹10,000ની 'તહેવાર પેશગી' મંજૂર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, ST નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને તહેવાર નિમિત્તે રૂપિયા 10,000 (દસ હજાર રૂપિયા) ની 'તહેવાર પેશગી' (એડવાન્સ) તરીકે આપવામાં આવશે.
તહેવારના સમયે સામાન્ય રીતે આર્થિક જરૂરિયાત વધી જતી હોય છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીના આ નિર્ણયથી નિગમમાં ફિક્સ પગાર પર કામ કરતા હજારો કર્મચારીઓને મોટી આર્થિક રાહત મળશે અને તેઓ ઉત્સાહભેર આ પર્વની ઉજવણી કરી શકશે.
DyCM હર્ષ સંઘવી દ્વારા લેવાયેલા આ કર્મચારી-લક્ષી નિર્ણયને ST નિગમના કર્મચારીઓએ હર્ષભેર આવકાર્યો છે અને તેમનો આભાર વ્યક્ત કર્યો છે.












Click it and Unblock the Notifications
