For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પંચે કૃષિ મંત્રી દિલિપ સંઘાણીને નોટિસ ફટકારી

|
Google Oneindia Gujarati News

dilip-sanghani
અમદાવાદ, 10 ઑક્ટોબર : દેશના ચૂંટણી પંચે 3 ઑક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 માટે મતદાનની તારીખો જાહેર કરી હતી. ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યભરમાં ચૂંટણીની આચારસંહિતા અમલી બની હતી. ગુજરાતના કૃષિ મંત્રી દિલિપ સાંધાણીએ આચારસંહિતાના અમલ છતાં એક જાહેર ખાત મૂકૂર્ત કાર્યક્રમાં ભાગ લેતા ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી લેખિતમાં જવાબ આપવા જણાવ્યું છે.

આજે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે પાઠવેલી નોટિસ અંગે જણાવ્યું કે "અમારા ધ્યાનમાં આવ્યું હતું કે દિલિપ સંઘાણીએ 4 ઑક્ટોબરે અમરેલીમાં એક રોડનું ખાત મૂહૂર્ત કર્યું હતું. આ કારણે ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે. અમે તેમને આ મુદ્દે લેખિતમાં જવાબ આપવા જણાવ્યું છે."

ઉલ્લેખનીય છે કે ચૂંટણીની આચારસંહિતા અમલી બનતા જ રાજ્યભરમાંથી જાહેર કાર્યક્રમોના પોસ્ટર્સ ઉતારી લેવામાં આવ્યા છે. સરકારી સુવિધાઓ જમા કરાવી દેવામાં આવી છે.

English summary
EC sent notice to Dilip Sanghani break election code of conduct
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X