આણંદઃ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, ફાયરની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
આણંદઃ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, ફાયરની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
નવી દિલ્હીઃ આણંદ જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. એએનઆઇ મુજબ આણંદ જિલ્લાની એક કેમિકલ ફેક્ટરીમાં મોડી રાતે ભીષણ આગ લાગી ગઇ. આગની સૂચના મળતા જ ફાયર ફાઇટરની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. હજી સુધી આગ પર સંપૂર્ણપણે કાબૂ નથી મેળવી શકાયો.
આ ઘટનામાં હજી સુધી કોઇપણ પ્રકારની જાનહાનીની સૂચના નથી, પરંતુ કેમિકલ ફેક્ટરી સંપૂર્ણપણે સળગી ગઇ છે. કયા કારણસર આગ લાગી તેની જાણકારી પણ મળી નથી. ફાયર ફાયટર આગ પર કાબૂ મેળવવા માટે સંપૂર્ણ કોશિશ કરી રહ્યા છે. એએનઆઇ દ્વારા શેર કરવામાં આવેલ આગની તસવીરોને જોઇ અંદાજો લગાવી શકાય છે કે આગ કેટલી ભયાનક છે. આગને પગલે આજુબાજુના ઘરોને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવમાં આવ્યા છે. ચારો તરફ અફરાતફરીનો માહોલ મચ્ય છે. પોલીસ બળ લોકોને ત્યાંથી હટાવવામાં લાગી છે.
આજે સવારે 11 વાગ્યે PM મોદી કરશે 'મન કી બાત', ચીનને લઇ ચર્ચા કરી શકે