મોરબીની પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, બાજુનુ કારખાનુ પણ ઝપેટમાં, 12 કલાકથી ફાયર ફાઈટરોની કામગીરી ચાલુ
Fire in Gujarat Plastic Factory: ગુજરાતના મોરબીમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આગ પ્રસરી જવાને કારણે ઔદ્યોગિક એકમમાં મોટું નુકસાન થવાની આશંકા છે. જો કે હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. ફેક્ટરીની આગ બાજુની ફેક્ટરીમાં પણ ફેલાઈ ગઈ હતી.
પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનો છેલ્લા 12 કલાકથી કામ કરી રહ્યા છે. મોરબીમાં આગની ઘટના પાનેલી રોડ પર આવેલ વિનાયક કોર્પોરેશનના કારખાનામાં શરૂ થઈ હતી. થોડી જ વારમાં આગ બાજુની અન્ય ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી.

ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે લગભગ 12 કલાકથી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હજુ સુધી સ્થિતિ પર કાબુ મેળવી શકાયો નથી. ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્ર જાડેજા કહે છે, "બપોરે 2.30 વાગ્યે અમને ફોન આવ્યો કે વિનાયક પ્લાસ્ટિક નામની ફેક્ટરીના વેરહાઉસમાં આગ લાગી છે.''
#WATCH | Gujarat: Fire dousing operations are still underway in Morbi's Vinayak plastic factory even after more than 12 hours.
— ANI (@ANI) April 3, 2024
The fire broke out at 2.30 pm on Wednesday. pic.twitter.com/bYiUFScbum
તેમણે વધુમાં જણાવ્યુ કે, ''આગ બાજુની કંપનીમાં પણ ફેલાઈ ગઈ છે. 12 કલાક પછી પણ આગ પર કાબૂ મેળવ્યો નથી. આગ ઓલવવાનું કામ ચાલુ છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ એ છે કે ટ્રાન્સફોર્મરમાં સ્પાર્ક હતો." ગોડાઉનમાં સીટ કવર બનાવાતા હોવાના કારણે આગ વધુ ફેલાઈ હતી. વળી, પવન વધુ હોવાના કારણે બાજુના કારખાનામાં પણ આગ લાગી હતી.
#WATCH | Gujarat: On fire at Vinayak Corporation factory on Paneli road, Morbi, Station Fire Officer Devendra Jadeja says, "At 2.30 pm in the afternoon, we received a call that a fire has broken in the godown of a factory named Vinayak Plastic... The fire has spread to the… https://t.co/NQqBGsa1lD pic.twitter.com/NYFjosXUKO
— ANI (@ANI) April 3, 2024
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના સંભાજીનગરમાં બનેલી દુખદ ઘટનામાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. આ ઘટના છાવણી વિસ્તારમાં બની હતી. જ્યાં સવારે 4 વાગ્યે એક મકાનમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે પરિવારના તમામ સભ્યો ઊંઘી રહ્યા હતા. આગમાં 7 લોકો દાઝી ગયા હતા. મૃતકોમાં બે પુરૂષ, ત્રણ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. પાડોશીઓ કંઈ સમજે તે પહેલા જ આગ આખા ઘરને લપેટમાં લઈ લીધી હતી. થોડી જ વારમાં આખું ઘર બળીને રાખ થઈ ગયું. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
આ ઘટના બુધવારે સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જે બિલ્ડીંગમાં આગ લાગી તે ત્રણ માળની હતી અને ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી. જેમાં આગ ફાટી નીકળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેનો ધુમાડો ઉપરના માળ સુધી પહોંચ્યો હતો. જેના કારણે કેટલાક લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા.












Click it and Unblock the Notifications
