પોરબંદર નજીક જહાજમાં ગેસ ગળતરથી પાંચના મોત

મળેલી માહિતી અનુસાર, મેંગલોરથી દુબઇ જઇ રહેલાં મુંબઈની વરૂણ શિપીંગ કંપનીનાં જહાજમાં અચાનક ગેસ ગળતરની થયું હતું. બનાવની જાણ થતાં એસ.ઓ.એસ મોકલાતા કોસ્ટગાર્ડે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ ગેસમાં ગુંગળાઈ જવાથી પાંચ ક્રુ મેમ્બરના મોત નીપજ્યાં હતા. જ્યારે ગેસ એન્જીનીયર અરવિંદ પંડ્યાને હાલત ગંભીર જણાતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.












Click it and Unblock the Notifications
