NCPને મોટો ઝટકો, ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ પાર્ટીમાંથી આપ્યુ રાજીનામુ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતના પૂર્વ સીએમ અને એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવ શંકરસિંહ વાઘેલાએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતના પૂર્વ સીએમ અને એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવ શંકરસિંહ વાઘેલાએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. આ સાથે જ તેમણે પાર્ટીનુ સક્રિય સભ્યપદ પણ છોડી દીધુ છે. વાઘેલા ગુજરાતમાં એનસીપી અધ્યક્ષના પદ પર જયંત પટેલ ઉર્ફે બોસ્કીની નિયુક્તિ બાદથી જ પાર્ટી નેતૃત્વથી નારાજ હતા. ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનુ આ રાજીનામુ તેમની નારાજગીનુ પરિણામ છે.

વાઘેલાએ વર્તમાન રાજકીય ઘટનાઓ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પાર્ટી કાર્યકર્તાઓ, નેતાઓ અને તાલુકા-જિલ્લા અને રાજ્યોના પદાધિકારીઓના પાર્ટીથી અસંતુષ્ટ હોવાને પોતાના રાજીનામાનુ કારણ ગણાવ્યુ છે. તમને જણાવી દઈએ કે એવો રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં શંકરસિંહ વાઘેલાને એનસીપીથી નારાજ બતાવવામાં આવી રહ્યા હતા. સમાચારો અનુસાર તે ગુજરાતમાં એનસીપી અધ્યક્ષ તરીકે જયંત પટેલ ઉર્ફે બોસ્કીની નિયુક્તિ બાદથી પાર્ટીથી નારાજ હતા.
તમને જણાવી દઈએ કે ગુજરાતની રાજનીતિમાં બાપૂના નામથી જાણીતા વાઘેલા 40 વર્ષથી ગુજરાતના રાજકારણમાં સક્રિય છે અને તે એક કદાવર નેતા છે. તે ભાજપમાં પણ રહી ચૂક્યા છે અને બાદમાં તેની સાથે બગાવત કરીને મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ તે કોંગ્રેસમાં જોડાયા. તેમને ભાજપમાં નરેન્દ્ર મોદીના રાજકીય ગુરુ માનવામાં આવતા હતા. તે ગુજરતામાં વિપક્ષના નેતા હતા અને ચૂંટણીની બરાબર પહેલા વાઘેલાએ કોંગ્રેસ છોડી દીધી હતી. તે ઈચ્છતા હતા કે પાર્ટી તેમના નેતૃત્વમાં ગુજરાતમાં ચૂંટણી લડે પરંતુ હાઈકમાન્ડ તેના માટે તૈયાર નહોતા.
Shankersinh Vaghela tenders his resignation from the post of national general secretary of Nationalist Congress Party (NCP) as well as active membership of the party. pic.twitter.com/9hWt0XBq77
— ANI (@ANI) June 22, 2020
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
