ગુજરાતના પૂર્વ રાજ્યપાલ પંડિત નવલકિશોર શર્માનું નિધન

નિધનના સમાચાર મળતાં જ મુખ્યમંત્રી અશોક ગેલોત અને શહેર વિકાસ મંત્રી શાંતિ ધારિવાલ ફોર્ટિસ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. સ્મશાનયાત્રા મંગળવારે બપોરે સાડા ત્રણ વાગે જનતા કોલોની સ્થિત તેમના નિવાસસ્થાનેથી આદર્શ નગર સ્માશાન તરફ રવાના થશે.
સ્વ. પંડિત નવલકિશોર શર્મા સક્રિય રૂપથી પોતાના વિદ્યાર્થી જીવન દરમિયાન ભારતના આઝાદીના આંદોલનમાં ભાગ લીધો હતો. ખાદી ગ્રામ ઉદ્યોગ, અને સહકારિતા આંદોલન, આદિવાસીઓના કલ્યાણ અને વિકાસમાં ખાસ રસ ધરાવતા હતા. પંડિત નવલકિશોર શર્મા ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટીના મહાસચિવ, પ્રદેશ અધ્યક્ષ, કેન્દ્રીય ખાદી ઉદ્યોગ આયોગ અધ્યક્ષ રહી ચૂક્યાં છે.












Click it and Unblock the Notifications
