ગીર નેશનલ પાર્ક 16 જૂનથી ચાર મહિના માટે બંધ રહેશે

ચોમાસાની ઋતુ દરમિયાન જંગલમાં વન્ય સૃષ્ટિ નિખરી ઉઠતી હોય છે. આ જ સમયગાળો સિંહ યુગલો માટે શ્રેષ્ઠ સંવવનકાળ માનવામાં આવે છે. રાજ્ય સરકાર એશિયાના સિંહોની વસતી વધારવા પ્રયત્નશીલ છે ત્યારે તેમના સંવવનમાં પ્રવાસીઓના ધસારાથી કોઇ બાધા કે ખલેલ ઉભી ના થાય તે માટે અને પ્રવાસીઓની સમલામતીને પણ ધ્યાને રાખીને ચોમાસા દરમિયાન ગીર અભયારણ્યમાં પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ રાખવામાં આવે છે. આ વર્ષે 16 જૂનથી વન વિભાગ દ્વારા અભયારણ્ય બંધ કરી દેવામાં આવશે જે ઓકટોબરમાં ખુલશે.
ગીરમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ ૨૦૧૧-૧૨માં ચાર લાખ જેટલા પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી હતી. જેમાં આઠ હજાર વિદેશી પર્યટકો હતા. પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને કારણે પણ સિંહોને તથા અન્ય વન સૃષ્ટિને ખલેલ પહોંચતી હોવાનું કેટલાક તજજ્ઞો માની રહ્યા છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઇને 15 જૂન પછી 1400 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું સમગ્ર ગીર અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ થઇ જશે.
વન અધિકારીના જણાવ્યા અનુસાર ગીરના જંગલમાં હાલમાં 162 સિંહણ છે જે પૈકી સામાન્ય રીતે 50થી 55 સિંહણો સંવનન કાળમાં જોડાય છે. જેમાંથી 35 જેટલી સિંહણો સિંહ બાળને જન્મ આપતી હોય છે જ્યારે ગીરના કુલ 97 સિંહો પૈકી 80 સિંહો મેટિંગ માટે સક્ષમ છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
