છેલ્લા બે વર્ષમાં 17.87 લાખથી વધુ મુલાકાતીઓએ ગીર અભયારણ્યની મુલાકાત લીધી
ગુજરાતનું ગૌરવ ગણાતા શાસણગીર અભયારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં અહીં 17.87 લાખથી વધુ પર્યટકોએ સિંહોનું દીદાર કર્યું હોવાની સત્તાવાર માહિતી મળી છે.
વિધાનસભા ગૃહમાં વન મંત્રી દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2024માં કુલ 8,59,262 પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે વર્ષ 2025માં આ આંકડો વધીને 9,28,416 પર પહોંચી જતા ગીરની લોકપ્રિયતા વધી છે.

પ્રવાસનની સાથે રાજ્ય સરકારની આવકમાં પણ મસમોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા બે વર્ષમાં પર્યટકોના આગમનથી વન વિભાગને અંદાજે 35 કરોડ રૂપિયા જેટલી માતબર આવક પ્રાપ્ત થઈ છે.
વર્ષ 2024માં સફારી માટે 1.45 લાખ પરમિટ ઇશ્યૂ કરાઈ હતી, જેમાંથી 16.66 કરોડની કમાણી થઈ હતી. વર્ષ 2025માં પરમિટની સંખ્યા 1.54 લાખ થતા સરકારને 17.98 કરોડ રૂપિયાની આવક થઈ છે.
ગીર અભયારણ્યમાં એશિયાટિક લાયન્સને જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આ આંકડાઓ સાબિત કરે છે કે ગુજરાતનું ઈકો-ટુરિઝમ ક્ષેત્ર સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.












Click it and Unblock the Notifications
