For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયાજીને વ્હીલચેર કે સ્ટ્રેચર પર લઇ જવા જોઇતા હતાઃ મોદી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 27 ઑગસ્ટઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી છે. સોનિયા ગાંધીને એમ્સમાંથી ડિસચાર્જ કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર થકી શુભેચ્છા પાઠવી હતી.

લોકસભામાં સોમવારે રાત્રે યુપીએના સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ખાદ્ય સુરક્ષા બિલને લીલી ઝંડી મળી ગઇ. બિલ નીચલી સદનમાં મોડી રાત્રે પસાર કરવામાં આવ્યો. કોંગ્રેસ પાર્ટી આ ખુશીને ઉજવે તે પહેલાં જ તેમના ચીફ સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય ખરાબ થઇ ગયું અને તેમણે સંસદ ભવનથી સીધા એમ્સ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પાંચ કલાક હોસ્પિટલમાં રાખવામાં આવ્યા બાદ તેમને ડિસચાર્જ કરી દેવામાં આવ્યા હતા.

sonia_gandhi-narendra_modi
મોદીએ ટ્વિટર પણ જણાવ્યું છે કે, સોનિયાજીનું સ્વાસ્થ્ય સારું છે એ જાણીને ખુશી થઇ. ભવિષ્યમાં તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવું છું. જો કે, સંસદમાં જે પ્રકારની કાર્યપ્રણાલી અપનાવવામાં આવી તેનાથી તેઓ નારાજ થયા. સોનિયા ગાંધીને પોતાની જ કારમાં હોસ્પિટલ જવું પડ્યું હતું અને એ સમયે તેમની સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસી નેતા કુમારી શેલ્જા હતા.

મોદીએ કહ્યું કે, સંસદમાં પ્રાથમિક મેડિકલ સુવિધાનો ઉપયોગ નથી કરાયો તેનાથી ચિંતિત છું. જો વ્હીલચેર અથવા તો સ્ટ્રેચરનો ઉપયોગ સંસદમાં કરવામાં આવ્યો હોત તો તે સારું રહ્યું હોત. તેમજ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સોનિયાજીને હોસ્પિટલ કોઇ સારા ઇક્વિપમેન્ટવાળી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવા જોઇતા હતા.

English summary
Gujarat Chief Minister Narendra Modi on Tuesday wished Congress president “best of health for the future” after she was discharged from All India Institute of Medical Sciences (AIIMS).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X