ગોધરાકાંડ: હાઇકોર્ટે 11 દોષીઓની ફાંસીને ઉંમરકેદમાં બદલી
ગોધરાકાંડના 11 દોષીઓની ફાંસીની સજા ગુજરાત હાઇકોર્ટે ઉંમરકેદમાં બદલી. સાથે જ સરકારને કારસેવકોના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય કરવાની વાત કરી. જાણો ગોધરાકાંડ પર ગુજરાત હાઇકોર્ટના ચુકાદા વિષે વધુ અહીં.
2002માં ગોધરામાં થયેલા ગોધરાકાંડમાં આજે હાઇકોર્ટમાં ચુકાદો આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આ મામલે 11 દોષીઓની ફાંસીની સજાને બદલીને ઉંમરકેદ કરી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગોધરાકાંડ પર આવેલો આ નિર્ણય ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. વર્ષ 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસની એક બોગીમાં ભીડ દ્વારા આગ લગાવી 59 લોકોને જીવતા બાળવામાં આવ્યા હતા. જે પછી ગુજરાતમાં કોમી હિંસા ભડકી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં 2011માં એસઆઇટીની વિશેષ કોર્ટે 31 લોકોને દોષી જાહેર કર્યા હતા અને 63 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. આ નિર્ણયને પાછળથી હાઇકોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો.

More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
