Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Diwali 2025: દિવાળીના તહેવારોને લઈ ખુશખબર, ગુજરાત ST નિગમ દૈનિક એક્સ્ટ્રા 2600 બસો દોડાવશે

GSRTC Extra Bus: ગુજરાત ST નિગમ દ્વારા આ વખતે દિવાળીના દિવસોમાં દૈનિક એક્સ્ટ્રા 2600થી વધુ ST બસો દોડાવવામાં આવશે. ગુજરાત માર્ગ પરિવહન નિગમના આ નિર્ણયને કારણે રાજ્યના 5 લાખથી વધુ મુસાફરોને ફાયદો થશે.

GSRTC Extra Bus

નવરાત્રિ પૂર્ણ થઈ અને આગામી સમયમાં દિવાળીનો તહેવાર શરૂ થશે. ત્યારે તહેવારની સિઝનમાં લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરતાં હોય છે. જેથી મુસાફરોને સરળ મુસાફરી માટે ST નિગમ દ્વારા આ વખતે દિવાળીના દિવસોમાં દૈનિક એક્સ્ટ્રા 2600થી વધુ ST બસો દોડાવવામાં આવશે. ગુજરાત માર્ગ પરિવહન નિગમના આ નિર્ણયને કારણે રાજ્યના 5 લાખથી વધુ મુસાફરોને ફાયદો થશે.

દૈનિક એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, દિવાળીના દિવસોમાં ST નિગમ દ્વારા મુસાફરો પોતાના વતનમાં સરળતાથી પહોંચી શકે તે માટે દૈનિક એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. દૈનિક ધોરણે આ સમયગાળામાં રાજ્યના વિવિધ શહેરોમાં 2600થી વધુ બસો દોડાવવામાં આવશે. આ વર્ષે રાજ્યમાં તમામ બસ ડેપો દ્વારા 16થી 19 ઓક્ટોબર 2025 સુધી દૈનિક ધોરણે એક્સ્ટ્રા બસો દોડાવાશે. આ ઉપરાંત સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરો માટે વધુ 1600 બસો દોડાવવામાં આવશે.

દિવાળીમાં પંચમહાલ અને દાહોદ તરફના શ્રમિકો પોતાના વતન સુધી સરળતાથી પહોંચી શકે તે માટે આ બસોનો લાભ મેળવી શકશે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને રામ ચોક અને મોટા વરાછાથી બસો મળી શકશે. જ્યારે અમદાવાદ અને ઉત્તર ગુજરાત તરફ જતા લોકોને સુરતના મુખ્ય બસ મથકેથી બસો મળી શકશે. દાહોદ અને પંચમહાલ તરફ જતા મુસાફરો માટે રામનગર, રાંદેર રોડ ખાતેના સુરત અર્બન બસ સ્ટેશન પાસેથી બસો મળી શકશે. દિવાળીના તહેવારોમાં સુરત ડિવિઝન દ્વારા લગભગ એક હજાર જેટલી બસો દોડાવવામાં આવી શકે છે.

બુકિંગ અને સુરક્ષા વ્યવસ્થા

મુસાફરો GSRTCની વેબસાઇટ www.gsrtc.in, મોબાઇલ એપ અથવા વિભાગીય ડિપો પરથી અગાઉથી અને વર્તમાન બુકિંગ કરી શકે છે. આ વર્ષે અગાઉથી બુકિંગમાં 18% વધારો જોવા મળ્યો છે, જે નિગમની વ્યવસ્થા પ્રત્યેના વિશ્વાસને દર્શાવે છે. નિગમે 24x7 ટોલ-ફ્રી હેલ્પલાઇન 1800-233-666666 પણ શરૂ કરી છે, જ્યાં મુસાફરો રૂટ, સમયપત્રક અને અન્ય માહિતી મેળવી શકે છે. બસોમાં સંપૂર્ણ સફાઈ, તાપમાન તપાસ અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી મુસાફરો સુરક્ષિત રહે. વધુમાં, જૂથમાં મુસાફરી કરનારાઓ માટે આખી બસ બુક કરીને સીધા વતન સુધી પહોંચવાની સુવિધા પણ છે.

દિવાળીના તહેવારો દરમિયાન GSRTCની આ વિશેષ વ્યવસ્થા રાજ્યના મુસાફરો માટે રાહતની વાત છે. CM ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નિગમે દર વર્ષે આવી વ્યવસ્થા કરીને મુસાફરોને પારિવારિક મિલનની તક આપી છે. આ વ્યવસ્થા ન માત્ર ટ્રાફિક જામને ઘટાડશે, પરંતુ રાજ્યના આર્થિક કેન્દ્રોમાં કામ કરતા શ્રમિકોને પણ ઘરે પહોંચવામાં મદદ કરશે. GSRTCના આ પ્રયાસથી દિવાળીના તહેવારો વધુ આનંદમય બનશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X