પાકું મકાન બનાવવા સહાય મદદરૂપ બની પ્રધાનમંત્રી આવાસ યોજના

Pradhan Mantri Awas Yojana: રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી રાજ્યભરના જિલ્લાઓમાં પણ આવાસોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.

આ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાનામાં કેસીસી ગ્રાઉન્ડ વેરાવળ ખાતે આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના લાભાર્થી સોલંકી નયનાબેનએ પોતાનો પ્રતિભાવ વર્ણવ્યો હતો.

Pradhan Mantri Awas Yojana

નયનાબેનએ કાચા મકાનમાં પડતી મુશ્કેલીઓની વાત કરતા જણાવ્યું હતું કે, મારા પતિ દરજીનું કામ કરે છે. પ્લોટની ખરીદી કરી પણ આર્થિક સ્થિતિ નબળી હોવાથી મકાન બનાવી શકીએ તેટલી મૂડી ન હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત રૂપિયા 3.50 લાખની સહાય મળી હતી. આ સહાયની મદદથી પોતાનું પાકું મકાનનું અમે નિર્માણ કરી શક્યા છીએ. આ પાકું મકાન બનતા આજે અમે ખૂશ છીએ અને વધુમાં અમારા જેવા ઘરવિહોણા અનેક પરિવારોને પાકું મકાન બનાવવા સરકાર સહાય કરી રહી છે. તે બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના છેવાડાના નાગરિકોને પાકા મકાનની ઘરના ઘરરૂપી છત મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આજે રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 131454 લાખ આવાસોનુ ઈ- લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. જેનાથી રાજ્યના અનેક લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X