પાટણમાં 12 ઓગસ્ટે રોજ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે!
સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન દેશભરમાં કરવામાં આવ્યું છે.
સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન દેશભરમાં કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગાના કાર્યક્રમના ભાગરૂપે પાટણ ખાતે 12 ઓગસ્ટના ત્રણ વાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જિલ્લા કક્ષાના તિરંગા યાત્રા કાર્યક્રમમાં પાટણના નાગરિકો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાશે. આ કાર્યક્રમના આયોજનને લઇને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

દેશના 75 મા સ્વાતંત્ર્ય પર્વ પર હર ઘર તિરંગા કાર્યક્રમનું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક ધરોહર ધરાવતા પાટણમાં જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા 12 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે યોજાયેલી બેઠકમાં પાટણ શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ, વેપારી સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પાટણની 20 થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી. આ તમામ સંગઠનો સાથે જિલ્લા કલેકટરે તિરંગા યાત્રાના આયોજન મામલે વિસ્તૃત ચર્ચા કરી હતી. દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત પાટણ શહેરમાં નિકળનારી તિરંગા યાત્રા દરમ્યાન પાટણ નગર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળે તે પ્રકારનું આયોજન મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પાટણ શહેરમાં નીકળનારી તિરંગા યાત્રાનું પ્રસ્થાન એમ એન હાઇસ્કુલ ખાતેથી થશે. ત્યાર બાદ તિરંગા યાત્રા રંગીલા હનુમાન, ત્રણ દરવાજા, હિંગળાજ ચાચર સર્કલ થઈ બગવાડા દરવાજા પોહચશે. બગવાડા દરવાજા થી રેલવે સ્ટેશન વચ્ચે તિરંગા યાત્રાનો અંતિમ પડાવ હશે. તિરંગા યાત્રાના રૂટ પર પુષ્પ વર્ષા પણ કરાશે. તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજનુ સ્વમાન જાળવવા અપીલ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
