મુસાફરો માટે મોટો ઝટકો: રાજ્યમાં ST બસના ભાડામાં રાતોરાત વધારો!
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. એસટી બસ ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે રાજ્યભરમાં દરરોજ મુસાફરી કરતા લાખો લોકોના ખિસ્સા પર વધારાનો બોજ પડશે. આ નવું ભાડું ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી અમલમાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત એસટી વિભાગે 48 કિલોમીટરની મુસાફરી માટે ભાડું 1 રૂપિયાથી વધારીને 4 રૂપિયા કર્યું છે. જોકે, મુસાફરો પર વધુ દબાણ ન આવે તે માટે, ફક્ત 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે નિયમો મુજબ, 68 ટકાનો વધારો કરવાની ભલામણ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે 31 જુલાઈ, 2023 ના રોજ પણ એસટી બસ ભાડામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે, 48 કિલોમીટરની મુસાફરીનું ભાડું 1 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરવામાં આવ્યું હતું. નિગમનું કહેવું છે કે 2014 પછી પહેલી વાર ભાડામાં આટલો મોટો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં દરરોજ 27.18 લાખથી વધુ મુસાફરો ST બસોમાં મુસાફરી કરે છે, જેમાં 18.21 લાખ ગ્રામીણ મુસાફરો, 46 હજાર શહેરી મુસાફરો અને 8.30 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજ્યભરમાં એસટીની 8,320 બસો દરરોજ 42,083 વખત દોડે છે અને 34.52 લાખ કિલોમીટરનું અંતર કાપે છે.
ગુજરાતના 18,367 ગામડાઓ સુધી એસટી બસ સેવા પહોંચે છે, જેમાંથી 99.34 ટકા ગામડાઓ અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં આવે છે. વધુમાં, દરરોજ 68,000 ટિકિટ ઓનલાઈન બુક થાય છે.
એસટી બસ ભાડામાં થયેલા આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર પડશે. મુસાફરોને હવે તેમની દૈનિક મુસાફરી માટે પહેલા કરતાં વધુ ખર્ચ કરવો પડશે.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો









Click it and Unblock the Notifications
