ગુજરાત સરકારે કોડનાની અને બજરંગીની ફાંસીની અપીલ ટાળી

પટેલે જણાવ્યું કે આ કેસમાં એડવોકેટ જનરલની સલાહ લઇને અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ કેસની તપાસ કરી રહેલી એસઆઇટીના કહેવા અંગે ગુજરાત સરકારે પહેલા દોષિતોની સજાને ફાંસીની સજામાં ફેરવવાની અપીલ કરવાની વાત કરી હતી.
આ કેસમાં માયા કોડનાનીને 28 વર્ષ અને બાબુ બજરંગીને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે. આ ઉપરાંત આ કેસમાં આઠ દોષિતોને પણ સજા સંભળાવવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જો ગુજરાત સરકાર સજા વિરુદ્ધ અપીલ કરવાનો ઇનકાર કરે છે તો એસઆઇટી આ કેસને લઇને સુપ્રીમ કોર્ટમાં જશે.












Click it and Unblock the Notifications
