ગુજરાત લોકાયુક્ત કેસ : 18મીએ ક્યુરેટિવ અરજીની સુનાવણી

સુપ્રીમ કોર્ટે ગત 15 માર્ચે રાજ્ય સરકાર દ્વારા આ મામલે દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશન ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાજ્ય સરકાર પાસે ક્યુરેટિવ પિટિશન રૂપે એકમાત્ર આખરી વિકલ્પ બચ્યો હતો. આ અગાઉ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર વતી દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લિવ પિટિશન ફગાવી દેતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠરાવ્યો હતો.
ગુજરાતનાં રાજ્યપાલ ડો શ્રીમતી કમલા બેનીવાલે 25 ઓગસ્ટ, 2011ના રોજ ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારની ઉપેક્ષા કરીને પૂર્વ ન્યાયમૂર્તિ આર એ મહેતાની ઘણાં વર્ષથી ખાલી પડેલી ગુજરાતના લોકાયુક્તની જગ્યા પર નિમણૂંક કરી દીધી હતી.












Click it and Unblock the Notifications
