ગુજરાતના રાજુલામાં ટ્રકે પુલ પરથી પલટી ખાતા 7 ના મોત, 24 ઘાયલ

ગુજરાતના અમરેલીના રાજુલામાં એક ટ્રક પલટી જતા સાત લોકોના મોત નીપજ્યા છે તેમજ 24 લોકો ઘાયલ થઈ ગયા છે. આ દુર્ઘટના શુક્રવારની રાતે બની.

ગુજરાતના અમરેલીના રાજુલામાં એક ટ્રક પલટી જતા સાત લોકોના મોત નીપજ્યા છે તેમજ 24 લોકો ઘાયલ થઈ ગયા છે. આ દુર્ઘટના શુક્રવારની રાતે બની. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના નિંગાળા ગામના પાટિયા પાસે એક પુલ પરથી ટ્રક પલટી જતા 7 લોકોના મોત નીપજ્યા છે. મહુવા તાલુકાનો આ પરિવાર ઉનાથી પાછો આવતો હતો ત્યારે આ દુર્ઘટના બની. દુર્ઘટનાના કારણે તેમજ નેશનલ હાઈવેનું કામ ચાલુ હોવાથી ટ્રાફિકજામ થઈ ગયો હતો.

accident

ઘટનાની જાણ થતાં જ નિંગાળાના સરપંચે પોલિસને જાણ કરતા રાજુલાની ખાનગી ફેક્ટરીઓના એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નાળમાંથી ક્રેન વડે મૃતકો તેમજ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલો તેમજ મૃતકોને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઘાયલોમાંથી અમુકની સ્થિતિ ગંભીક જણાવવામાં આવી રહી છે.

દુર્ઘટના બાદ ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ડ્રાઈવરની બાજુમાં બેઠેલા એક ઘાયલે જણાવ્યુ કે સામેથી આવતી ટ્રકની લાઈટથી ડ્રાઈવરની આંખ અંજાઈ ગઈ હતી એટલા માટે કદાચ ડ્રાઈવર જોઈ શક્યો નહિ હોય અને અકસ્માત સર્જાઈ ગયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X