Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત: અમદાવાદમાં રિક્ષાવાળાના ઘરે જમશે અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદની મુલાકાતે છે ત્યારે સવારે રિક્ષાચાલકના સંવાદ દરમિયાન રિક્ષાચાલકે તેઓના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું હતું. જે આમંત્રણનો સ્વીકાર કરી આજે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદની મુલાકાતે છે ત્યારે સવારે રિક્ષાચાલકના સંવાદ દરમિયાન રિક્ષાચાલકે તેઓના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું હતું. જે આમંત્રણનો સ્વીકાર કરી આજે રાત્રે તેઓ ઘાટલોડિયા વિસ્તારમાં કે કે નગર પાસે દંતાણીનગરમાં રહેતા રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા જવાના છે.

Arvind Kejriwal

એક રૂમ અને રસોડા જેવા નાના મકાનમાં રહેતા વિક્રમ દંતાણીના ઘરે અરવિંદ કેજરીવાલ જમવા આવવાના છે જેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.

વિક્રમભાઈના પત્ની નિશાબેને દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અરવિંદ કેજરીવાલ અમારા ઘરે જમવા આવવાના છે તેમના માટે અમે દૂધીનું શાક, રોટલી, દાળ, ભાત બનાવ્યા છે. અમને આનંદ છે કે આજે અમારા ઘરે અરવિંદ કેજરીવાલ જમવા આવવાના છે.

ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ દંતાણી રિક્ષા ચાલક છે અને આજે તેઓ જ્યારે વૈષ્ણોદેવી સર્કલ પાસે આમ આદમી પાર્ટીના રીક્ષા ચાલકો સાથેના સંવાદમાં આવ્યા હતા. ત્યારે તેઓએ પંજાબમાં જ્યારે અરવિંદ કેજરીવાલ એક રિક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા તેનો વીડિયો જોયો હતો. જેથી તેઓ પોતાના ઘરે જમવા આવે તેવું આમંત્રણ આપતા અરવિંદ કેજરીવાલ દ્વારા તેનો સ્વીકાર કરી અને જમવા માટે આવવાના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X