બિલકિસ બાનો કેસમાં જેલમાંથી મુક્ત થયેલા દોષીનો દાવો - અમે રાજનીતિનો શિકાર હતા
બિલકિસ બાનો કેસના 11 દોષિતોમાંથી એક શૈલેષ ભટ્ટે દાવો કર્યો છે કે તે "રાજકારણના શિકાર" હતા.
અમદાવાદઃ 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના 7 સભ્યોની હત્યા સંબંધિત કેસમાં 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓ 15 વર્ષથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા હતા. હવે 11 દોષિતોમાંથી એક શૈલેષ ભટ્ટે દાવો કર્યો છે કે તે "રાજકારણના શિકાર" હતા. બિલકિસ કેસ પર શૈલેષ ભટ્ટની પ્રતિક્રિયા જેલમાંથી છૂટ્યાના એક દિવસ પછી આવી છે.

63 વર્ષીય શૈલેષ ભટ્ટે કહ્યુ કે જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તે શાસક ભાજપનો સ્થાનિક કાર્યકર હતા શૈલેષ તેમજ તેમના ભાઈ અને સહ-દોષિત મિતેશ સહિત અન્ય લોકો ગોધરા જેલમાંથી મુક્ત થયા બાદ ગુજરાતના દાહોદ જિલ્લાના સિંગોર ગામ જવા રવાના થયા હતા.
આજીવન કેદની સજા પામેલા તમામ દોષિતોને સોમવારે ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ 15 વર્ષથી વધુ જેલવાસ પૂર્ણ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા શૈલેષ ભટ્ટે કહ્યુ, "સિંગોર એક નાનુ ગામ છે. તમામ ગુનેગારો આ ગામના છે. અમે બધા રાજકારણનો ભોગ બન્યા હતા." તેણે કહ્યુ કે તે એક ખેડૂત હતો અને જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે ભાજપના જિલ્લા એકમનો પદાધિકારી પણ હતો. તેનો ભાઈ પંચમહાલ ડેરીમાં ક્લાર્ક તરીકે કામ કરતો હતો.
તેણે કહ્યુ, "અમારી 2004માં ધરપકડ કરવામાં આવી હતી અને અમે 18 વર્ષથી જેલમાં છીએ. અમારા પરિવારના સભ્યો સાથે ઘરે રહીને આનંદ થયો. દરેક વ્યક્તિ ખુશ છે કે અમે પાછા આવ્યા છીએ. મારો પુત્ર ત્યારે આઠ કે નવ વર્ષનો હતો. હવે તે પુખ્ત છે અને પંચમહાલ ડેરીમાં કામ કરે છે. હું તેના માટે ખુશ છું." 2007માં જ્યારે તે જેલમાં હતો ત્યારે તેની માતાનુ અવસાન થયુ હતુ. તેણે કહ્યુ કે કોર્ટે તેને અંતિમ સંસ્કાર કરવા માટે વચગાળાના જામીન આપ્યા હતા.
બીજી તરફ, અન્ય એક દોષિત રાધેશ્યામ શાહે સોમવારે છૂટ્યા બાદ કહ્યુ કે તેઓ બધા નિર્દોષ છે. તેમણે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, "અમને અમુક વિચારધારામાં વિશ્વાસ હોવાને કારણે ફસાવવામાં આવ્યા હતા." તેણે કહ્યુ કે તેમાંથી એકનુ ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયુ હતુ જ્યારે કેટલાક અન્ય લોકોએ તેમની કેદ દરમિયાન તેમની પત્નીઓ ગુમાવી હતી.
આ કેસમાં જે દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં જસવંતભાઈ નાઈ, ગોવિંદભાઈ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વહોનિયા, પ્રદીપ મોરઢિયા, બકાભાઈ વહોનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાનો સમાવેશ થાય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
