કોંગ્રેસમાં રાજા હતો, હવે મંત્રી બનીશ: અલ્પેશ ઠાકોર
ગુજરાતમાં 23 ઓક્ટોબરની પેટા-ચુંટણી માટે ભાજપે અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા માટે નામાંકિત કર્યા છે.
ગુજરાતમાં 23 ઓક્ટોબરની પેટા-ચુંટણી માટે ભાજપે અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા માટે નામાંકિત કર્યા છે. અલ્પેશ ઠાકોર હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તેમનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે કહેતા જોવા મળે છે કે જ્યારે હું કોંગ્રેસમાં હતો ત્યારે હું આ વિસ્તારનો રાજા હતો. અલ્પેશ ઠાકોરે એવું પણ કહ્યું હતું કે હવે અમે અરજી નહીં કરીયે, પરંતુ મંત્રી તરીકે ઓર્ડર આપીશું. પેટાચૂંટણીના થોડા સમય પહેલા જ તેમનો આવો વીડિયો સામે આવતાં રાજકારણ ગરમાયું છે. તેમના નિવેદન પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે.

વીડિયોમાં અલ્પેશ ઠાકોર એવું કહેતા નજરે પડે છે કે હવે અમે મંત્રી બનવાના છીએ, અમે ધારાસભ્યો તરીકે નહીં પરંતુ મંત્રી તરીકે આવીશું. કોઈ અરજી નહીં કરીયે, ફક્ત ઓર્ડર આપીશું. ઘણી માતાઓ, ઇષ્ટદેવતાઓને ત્યાં માન્યતાઓ અધૂરી છે, જે પુરી થશે. બીજી તરફ, બીજા વીડિયોમાં, તેઓ એવું કહેતા જોવા મળે છે કે જયારે તેઓ કોંગ્રેસમાં હતા, ત્યારે તેઓ જે પણ કહેતા તે થતું હતું ત્યારે તેઓ આ વિસ્તારના રાજા હતા. તેમણે કોંગ્રેસને ખંડેર પક્ષ ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ જેને ઈચ્છે તેને ટિકિટ મેળવવાની ક્ષમતા રાખતા હતા. ખંડેર રાજા બનવા કરતાં પ્રજાની વચ્ચે સામાન્ય માણસ તરીકે રહું.
આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જવાબ આપ્યો હતો કે મતગણતરીના દિવસે જનતા, પાર્ટી બદલાવનારાઓને ચોક્કસપણે જવાબ આપશે. તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો પ્રેમ પચાવી નહીં શક્યા. આથી જ તેઓ ભાજપમાં જોડાયા છે. જોકે, અલ્પેશ ઠાકોરે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે. તે જ સમયે, કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે નેતા જનતાનો સેવક છે. તેથી, વ્યક્તિએ વિચારપૂર્વક બોલવું જોઈએ.
આ પણ વાંચો: ગરબા નહીં રમવા દીધા, તો દલિતોએ હિન્દૂ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો












Click it and Unblock the Notifications
