Gujarat cabinet reshuffle : 17 ઓક્ટોબરે ગુજરાત કેબિનેટનું વિસ્તરણ નક્કી
Gujarat cabinet reshuffle : 2022 વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવીને સત્તામાં આવેલી ભૂપેન્દ્ર પટેલ સરકારનો અડધો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. કેબિનેટ વિસ્તરણ અને મોટા ફેરફારોની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી.

તાજેતરમાં નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની કલાકો લાંબી બેઠક બાદ મંત્રીમંડળના વિસ્તરણનો માર્ગ મોકળો થયો હતો. આ બેઠકમાં નવા મંત્રીમંડળનું માળખું નક્કી કરાયું હોવાનું માનવામાં આવે છે.
સૂત્રો અનુસાર, વર્તમાન મંત્રીમંડળમાંથી કેટલાક જૂના ચહેરાઓની બાદબાકી થઈ શકે છે, જ્યારે નવા અને યુવા ધારાસભ્યોને મંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ વિસ્તરણ દ્વારા પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ગુજરાતના રાજકારણમાં આ મોટા ફેરફારને દિવાળી પહેલાંના રાજકીય ધમાકા તરીકે જોવામાં આવી રહ્યો છે. નવા મંત્રીઓના શપથગ્રહણ બાદ તરત જ વિભાગોની ફાળવણી કરવામાં આવશે. રાજ્યના રાજકારણ માટે આ એક મહત્વપૂર્ણ ઘટના છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
