ગુજરાત ચૂંટણી : BJP સામે કોંગ્રેસે તહોમતનામુ જાહેર કર્યું

આ અંગે મોઢવાડિયાએ જણાવ્યું કે "આ ચાર્જશીટમાં ભાજપના 17 વર્ષના શાસનનો હિસાબ છે. તે વિધાનસભામાં તારાંકિત અને બિન તારાંકિત પ્રશ્નો, આરટીઆઇ હેઠળ મેળવવામાં આવ્યા છે. તેના આધારે તહોમતનામુ ઘડાયું છે. અમારા 40 વર્ષના શાસનમાં બાળકો, મહિલાઓ સલામત હતા. નરેન્દ્ર મોદીના શાસનમાં કોઇ સલામત નથી. તમામ વહીવટી તંત્ર મોદીના પ્રચારમાં કાર્યરત છે. સૌથી વધારે મંદિરો અહીં લૂંટાયા, મહંતોની હત્યા થઇ. 12.55 લાખ ગુના નોંધાયા. અંદાજે 11051 મહિલાઓ સામેના અત્યાચાર નોંધાયા છે."
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે "ભાજપ આજે જે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. આજે બંડલ સપ્લાય આવશે. અમે શાળા બનાવીશું, આઇટીઆઇ બનાવીશું વગેરે જાહેરાતો કરશે. 15000 કરોડ વનબંધુ કલ્યાણ પેકેજ, 13000 કરોડની સાગરખેડૂ યોજના જાહેર કરી પણ તેની ફાળવણી કરી નથી. તેમણે માત્ર ઉદ્યોગપતિઓને જમીન આપવાનું કામ કર્યું છે. તેમણે એક પણ ઇરિગેશન પ્રોજેક્ટનું કામ કર્યું નથી. તેમના બણગા આજે ફૂટી જશે."
તેમણે જણાવ્યું કે "ગુજરાતમાં બહેનોની સલામતી નથી, બાળકોની સલામતી નથી. આજે જનતા હિસાબ માંગવા નીકળી છે આથી ભાજપ સરકારે માયાજાળ ઉભી કરી છે. તમારામાં હિમ્મત હોય તો લોકોની વચ્ચે જાવ, સિનેમાના પડદા પર ખર્ચો કરીને શા માટે સંબોધન કરો છો? ગુજરાતમાં લોકાયુક્ત શા માટે નિમાતા નથી?"
વાધેલાએ જણાવ્યું કે "આ ગુજરાતની વિધાનસભાનું ઇલેક્શન છે. દિલ્હીની લોકસભાનું નહીં. બધાને છેતરવા માટે દિલ્હીની સરકારે, સોનિયા ગાંધીએ, મનમોહનસિંહે, રાહુલ ગાંધીએ, છેલ્લે અહેમદ પટેલે અન્યાય કર્યો. અન્યાય તેમણે નથી કર્યો. અન્યાય ગુજરાત સરકારે કર્યો છે. ન્યાય આપવાનું તેમના હાથમાં છે અને તેથી જ ગુજરાતની વર્તમાન સરકારે ગુજરાતની પ્રજાને અન્યાય કર્યો છે."
શંકરસિંહ વાધેલાએ જણાવ્યું કે"ગપ્પા મારવાની હદ હોય. દાખલા તરીકે સોનિયા ગાંધીની નજર ગુજરાતની તિજોરી પર છે. ગુજરાતની તિજોરી દિલ્હીની તિજોરી કરતા મોટી છે? એવું હોય તો 14000 કરોડની માંગણી શા માટે કરી હતી? કારણ કે ગુજરાતની તિજોરી તળિયાઝાટક છે."
વાધેલાએ જણાવ્યું કે "ભાજપના નેતાઓ ગુજરાતનું રાજ્ય 2002માં જ બન્યું હોય તેવી રીતે વાત કરે છે. મને કોઇ વિડિયો કેસેટ બતાવે ભાજપના પ્રચારની કે જેમાં લોકોને ઉશ્કેરવાનો મુદ્દો હોય. 2007માં અહેમદ મિયાં પટેલ જેવી હલકી ભાષા તેમને શોભા નથી આપતા. જે વ્યક્તિ ધારે એ કરી શકે તેમના માટે ગુજરાતની ચૂંટણીઓમાં વ્યક્તિગત સ્વાર્થ માટે ઢસેડવા માનસિક વિકૃતિ છે."
તેમણે "અમે આપેલા 12 મુદ્દાઓ જોવા જેવા છે. પેટ્રોલ-ડીઝલ પર વેટ ઓછો કરવો, રોજગારી આપવી, મકાન આપવા માટે 17 વર્ષથી અમે તેમને રોકી રાખ્યા ન હતી. અમે ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે ગુજરાતની ભાજપ સરકાર નીતિ ચૂકી ગઇ છે."
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
