'ગુજરાતનું દેવું ટકાવારીની દ્રષ્ટિએ સતત ઘટતું જાય છે'

ગુજરાત ફિસ્કલ રીસ્પોન્સીબીલીટી એકટ, ર૦૦પની જોગવાઇઓનો તથા ગુજરાત ફિસ્કલ રીપોર્ટર૦૦૮નો ઉલ્લેખ કરતાં આર. એમ. પટેલે જણાવ્યું હતું કે, આ એકટના આધારે ગુજરાત વિધાનસભામાં રેવન્યુ ડેફીસીયન્સી ઝીરો (શૂન્ય) રાખવાનું સ્વીકારાયું છે. જયારે ગુજરાત સરકારના બજેટમાં ૩,૮પ૭ કરોડની રેવન્યુ પુરાંત દર્શાવવામાં આવી છે. જે સમૃદ્ધિની નિશાની છે. આ એકટ અનુસાર ફીસ્કલ ડીપોઝીટ ૩ ટકા કરતાં ઓછી હોવી જોઇએ તેવું સ્વીકારાયું હતું. તેના બદલે રાજ્ય સરકારની ફીસ્કલ ડીપોઝીટ ર.૬૧ ટકા છે જે સફળ નેતૃત્વ અને કુશળ વહીવટ દર્શાવે છે.
આ એકટ અનુસાર ગ્રોસ ડોમેસ્ટી પ્રોડકટ (જી.ડી.પી.)ના ર૭ ટકા સુધી દેવું કરી શકાય છે. પરંતુ ગુજરાતનું વર્ષ ર૦૧ર૧૩માં દેવું માત્ર ૧૯.૯૩ ટકા જ છે. આ ઉપરાંત આ દેવું ટકાવારીની દ્રષ્ટિએ પણ સતત ઘટતું જાય છે. ર૦૦૪-૦પમાં ર૮.૦૦ ટકા, ર૦૦પ-૦૬માં ર૭.પ૬ ટકા, ર૦૦૭-૦૮માં રપ.૬૦ ટકા, ર૦૦૮-૦૯માં ર૩.૬પ, ર૦૦૯-૧૦માં ર૭.૭૭, ર૦૧૦-૧૧માં ર૦.૯૦ ટકા, ર૦૧૧-૧રમાં ર૦.૧૭ ટકા અને આજે ઘટીને ર૦૧ર-૧૩માં ૧૯.૯૩ ટકા થયું છે.
ગુજરાતનું દેવું ૧,ર૩,પ૦૬ કરોડનું છે. તેમાંથી ૬૧,૪પ૪ કરોડનું એટલે કે ૪૯.૮૦ ટકા માર્કેટ બોરોલીંગથી લેવાયેલું છે. જે સરકારમાં માર્કેટનો વિશ્વાસ પ્રતિપાદિત કરે છે. તેમણે દુઃખ સાથે એમ પણ જણાવ્યું હતું કે, ભારત સરકારની લોન એડવાન્સીસ પેટે માત્ર ૬ ટકા જ છે જે ટકાવારી ખરેખર વધારે હોવી જોઇએ. આ જાહેર દેવાની કોસ્ટ ર૦૦૧૦રમાં ૧૩.પ૦ હતી તે ર૦૧ર૧૩માં ૮.૮ર છે. હાલની જી.ડી.પી. પ્રમાણે રાજ્ય આઉટ સ્ટેન્ડીંગ ગેરન્ટી તરીકે ૧૬,૦૦૦ કરોડ આપી શકે, આમ છતાં આ સરકારે ૭,ર૩૪ કરોડની ગેરંટી આપી છે. જી.ડી.પી.નો ગ્રોથ પણ સારો છે.
પરિવહનની વિગતો આપતાં આર. એમ. પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૭૩,૦૦૦ કિ.મી. રોડનું ૯૭ ટકાનું નેટવર્ક છે અને માત્ર ર,૩૪પ કિ.મી.ના રસ્તા જ કાચા છે. ગુજરાતમાં પ,ર૭૧ કિ.મી.નું રેલવે નેટવર્ક છે જે અપૂરતું છે. ગુજરાતના રસ્તાઓની નોંધ વિશ્વબેંકે પણ લીધી છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘‘રીફોર્મ ઇન ધ રોડ સેક્ટર લર્નીંગ ફ્રોમ ગુજરાત'' અહેવાલ અનુસાર ગુજરાતના રસ્તા આંતરરાષ્ટ્રીય કક્ષાના છે.
ઇન્દીરા આવાસ યોજનામાં રાજ્ય સરકારની કામગીરી નબળી હોવાના કેન્દ્ર સરકારના આક્ષેપને પાયાવિહોણો ગણાવી તેમણે જણાવ્યું હતું કે, ર૦૦રમાં ૧૩,૯ર,૦૦૦ કાચા આવાસો હતા. તેમાંથી ૯,૯૯,૦૦૦ને આવાસો આપી દેવાયા છે. ૦૧૬ના ૧,૩૩,૦૦૦ લાભાર્થી પોતાના ખેર્ચે ર,૬૪૩ કરોડ રોકીને આવાસો અપાયા છે. આમ, ૧૧,૩ર,૦૦૦ને આવાસો આપી દેવાયા છે, જે બિરદાવવા લાયક છે. આટલી સુંદર કામગીરી કરનાર અન્ય કોઇ રાજ્ય નહીં હોય, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી





Click it and Unblock the Notifications
