ગુજરાતના 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ 28 ઓગસ્ટ સુધી લંબાવાયો, અત્યાર સુધી 4 કરોડ વેક્સીનના ડોઝ અપાયા
ગુજરાતમાં કોરોના મહામારીથી બચાવ માટે અમુક પ્રતિબંધો હજુ પણ લાગેલા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીથી બચાવ માટે અમુક પ્રતિબંધો હજુ પણ લાગેલા છે. મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યુ લાગુ છે. આજે સરકારે આ કર્ફ્યુના બધા પ્રતિબંધોને 28 ઓગસ્ટ સુધી લાગુ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની એક જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે 29 જુલાઈએ જાહેર છેલ્લા આદેશના બધા નિર્ધારિત પ્રતિબંધ 28 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યુ કે ગુજરાતના ઉપરોક્ત આઠ શહેરોમાં રાત્રિ કર્ફ્યુને પણ 28 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવ્યો છે.

400 લોકો સુધી સીમિત રહેવામાં દેવામાં આવશે ભીડ
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ભારે ભીડ કરતા કાર્યક્રમોને હજુ મંજૂરી આપવામાં આવશે નહિ. ભીડ ભેગી થવા અંગે ગઈ 29 જુલાઈએ આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. સાર્વજનિક કાર્યક્રમોમાં મહત્તમ 400 લોકોની ઉપસ્થિતિને મંજૂરી છે. આ ઉપરાંત આ સંખ્યાને પણ સીમિત રાખવામાં આવે તે સારી વાત રહેશે. સરકારના આદેશમાં એ પણ કહેવામાં આવ્યુ હતુ કે હવે ભોજનાલય રાતે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકે છે. આ ઉપરાંત મોટાભાગની ઓફિસોમાં 50 ટકા સ્ટાફને કામ કરવાની મંજૂરી રહેશે.

રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ
રાજ્ય સરકારના એક અધિકારીએ જાહેરાતમાં કહ્યુ કે કોરોના સંક્રમણના જોખમને જોતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યુ હાલમાં લાગુ રહેશે કે જે રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે. ઉલ્લેખનીય છે કે અમુક જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓ હાલમાં મળી રહ્યા છે. જો કે નવા કેસની સંખ્યા હવે ઘણી ઓછી રહી ગઈ છે.

વેક્સીનનો 4 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યો
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં લોકોને કોરોના વેક્સીનના અત્યાર સુધી લગભગ 4 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. 15 ઓગસ્ટ સુધીની કાઉન્ટિંગ મુજબ 3,98,45,089 વેક્સીન પૂરી પાડવામાં આવી ચૂકી હતી. આ ઉપરાંત કોરોના ટેસ્ટની વાત કરીએ તો આ સંખ્યા પણ 2,65,14,698 પહોંચી ચૂકી છે. ગઈ કાલે 50 હજારથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.

જિલ્લા મુજબ કોરોના દર્દીઓ
ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8,25,182 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 8,14,921 લોકો રિકવર થઈ ગયા છે. હાલમાં રાજ્યમાં 183 સક્રિય દર્દી છે જેમાંથી અમદાવાદમાં 59 છે. જ્યારે વડોદરામાં 47, સુરતમાં 16, રાજકોટમાં 15, આણંદમાં 6, જામગનરમાં 6, ભાવનગરમાં 4, જૂનાગઢમાં 4, મહેસાણામાં 4, નવસારીમાં 4, દાહોદમાં 3 અને ગાંધીનગરમાં સામે આવ્યા છે.












Click it and Unblock the Notifications
