આનંદીબેનની બેઠક પરથી BJPએ આમને આપી છે ટિકિટ
ઘાટલોડિયા બેઠક પરથી ભાજપે ભૂપેન્દ્ર પટેલને આપી ટિકિટઆનંદીબેન પટેલની હાજરીમાં ભર્યું ઉમેદવારી પત્રઆ અંગે વધુ વાંચો અહીં..
ચૂંટણી તારીખો જાહેર થાય એ પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ વખતે મેદાનમાં ન ઉતરવાનો નિર્ણય લીધો હતો અને તેમણે આ અંગે હાઇકમાન્ડને પત્ર પણ સોંપ્યો હતો. ત્યાર બાદ હલકી હલકી આશા સેવાઇ રહી હતી કે, આનંદીબેન પટેલની બેઠક ઘાટલોડિયા પરથી તેમની પુત્રી અનાર પટેલને ટિકિટ મળી શકે છે. પરંતુ એ વાત પણ અફવા સાબિત થઇ હતી. સોમવારે સવારે ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની છઠ્ઠી અને છેલ્લી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં આનંદીબેન પટેલની બેઠક પર ભાજપે આ વખતે ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી છે.

ભૂપેન્દ્ર પટેલે સોમવારે આનંદીબેનની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ જોવા મળ્યા હતા. ઘાટલોડિયાથી રેલી કાઢી તેઓ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ આનંદીબેનની ગુડ બૂક્સમાં કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, ઘાટલોડિયાની બેઠક ભાજપનો ગઢ ગણાય છે અને આ બેઠક પર ભાજપનો સૌથી વિશ્વાસુ ચહેરો હતા આનંદીબેન પટેલ. આથી આ વખતે આનંદીબેને ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા આ બેઠક અંગે ખાસી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, અનેક ચર્ચા-વિચારણાના અંતે ભાજપે આખરે ભૂપેન્દ્ર પટેલની ટિકિટ આપી હતી. ભૂપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
