નીતિન પટેલની પત્રકાર પરિષદમાં હાર્દિકે ટ્વીટ કરી આપ્યો જવાબ
બુધવારે હાર્દિક પટેલની પત્રકાર પરિષદ બાદ નીતિન પટેલે પણ પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતુંઆ દરમિયાન હાર્દિક પટેલે નીતિન પટેલને સંબોધને ટ્વીટ કર્યું હતુંપોતાના ટ્વીટમાં હાર્દિકે શું કહ્યું?
છેલ્લા બે દિવસથી પાસ કન્વીનર હાર્દિક પટેલની પત્રકાર પરિષદની રાહ જોવાતી હતી. પાસ અને કોંગ્રેસ વચ્ચે પાટીદાર અનામત મામલે થયેલ સમજૂતી અંગે આખરે બુધવારે સવારે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ કરી અધિકૃત જાહેરાત કરી હતી. ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ તાત્કાલિક પત્રકાર પરિષદ સંબોધતા હાર્દિક પટેલ, પાસ તથા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને અનામત અંગેની કોંગ્રેસ તથા પાસ વચ્ચેની સમજૂતીને સોદાબાજી ગણાવી હતી. નીતિન પટેલની પત્રકાર પરિષદ દરમિયાન જ હાર્દિકે નીતિન પટેલને સંબોધીને બે ટ્વીટ પણ કર્યા હતા.

પ્રથમ ટ્વીટમાં હાર્દિકે લખ્યું હતું કે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ પાટીદાર સમાજને મૂર્ખ કહ્યા. સાંભળી લો ભાજપવાળાઓ ગુજરાતની જનતાને મૂર્ખ ન સમજો. આ ગુજરાતની જનતા હવે તમને જનતા રાજ દેખાડશે. એ પછી અન્ય એક ટ્વીટ કરતાં હાર્દિકે લખ્યું હતું કે, ક્યારેક કહે છે, હાથ કાપી લઇશું, ક્યારેક મૂર્ખ કહે છે. ગુજરાત માત્ર ભાજપનું નથી. જનતાને જે ઠીક લાગશે, એમ જ થશે, અમારી પર જોહુકમી નહીં ચાલે. ઉલ્લેખનીય છે કે, નીતિન પટેલે પોતાની પત્રકાર પરિષદમાં પાસ અને કોંગ્રેસ વચ્ચેની સમજૂતી અંગે કહ્યું હતું કે, મૂર્ખાઓએ દરખાસ્ત કરી અને મૂર્ખાઓએ સ્વીકારી. આ અંગે હાર્દિક પટેલે ટ્વીટ કર્યા હતા.
गुजरात के Dy.Cm ने पाटीदार समुदाय को मूर्ख कहा,सुन लो भाजपा वालों आप गुजरात की जनता को मूर्ख मत समझो,यह गुजरात की जनता अब आपको जनता राज दिखाएगी ।।
— Hardik Patel (@HardikPatel_) November 22, 2017
कभी हाथ काट लेंगे कहते हैं,कभी मूर्ख कहते हैं।गुजरात सिर्फ़ भाजपा का नहीं हैं।जनता को जो ठीक लगेगा वही होगा,हम पर जोहुक्मी नहीं चलेगी ।।
— Hardik Patel (@HardikPatel_) November 22, 2017
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા




Click it and Unblock the Notifications
