રાધનપુરમાં અલ્પેશને ટક્કર આપશે BJPના 2 ધૂરંધરો!
રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને ટક્કર આપશે ભાજપના બે ધૂરંધરોભાવસિંહ રાઠોડ આપી શકે ભાજપને સમર્થનઆ અંગે વધુ વાંચો અહીં...
પાટણની રાધનપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો છે. ભાજપ દ્વારા આ બેઠક પરથી લવિંગજી સોલંકીને ટિકિટ આપવમાં આવી છે, તો કોંગ્રેસ દ્વારા આ બેઠક અલ્પેશ ઠાકોરને ફાળવવામાં આવી છે. એખ મહિના પહેલાં જ કોંગ્રેસ સાથે હાથ મિલાવનાર નેતા અલ્પેશ ઠાકોરને ટક્કર આપવાની ભાજપે પણ પૂરી તૈયારી આદરી છે. પાટણની આ બેઠક પર ભાજપ મોટેભાગે જીતે છે, જ્યારે કોંગ્રેસને એક પણ વાર જીતનો સ્વાદ ચાખવા મળ્યો નથી. પરંતુ આ વખતે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી, વિજયની દિશમાં એક ડગલું આગળ વધાર્યું છે. સોમવારે અલ્પેશ ઠાકોરે આ બેઠક પરથી ઉમેદવારીનું પત્ર ભર્યું હતું.

રાધનપુર વિસ્તારમાં બહોળા પ્રમાણમાં ઠાકોર સમાજના મતદારો છે. ભાજપના ઉમેદવાર લવિંગજી સોલંકી ઠકોર સમાજના અગ્રણી છે, આ વિસ્તારમાં તેમનું ખાસું વર્ચસ્વ છે. તેઓ શંકરસિંહ વાઘેલાના ચુસ્ત સમર્થક હતા અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તો બીજી તરફ ભાવસિંહ રાઠોડ પણ ભાજપને સમર્થન જાહેર કરે એવી શક્યતા છે. એ પણ ઠાકોર સમાજના અગ્રણી છે અને ઠાકોર સમાજ પર તેમનો દબદબો છે તથા તેઓ ભાજપ અને કોંગ્રેસ બંનેના ધારાસભ્ય રહી ચૂક્યાં છે. અલ્પેશ ઠાકોર અને તેના સમર્થકોને ટક્કર આપવા માટે ભાજપે બે ધૂરંધરો ઊભા કર્યા છે. આમ, રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરની તાકાત ઓછી કરવામાં ભાજપે કોઇ કસર બાકી નથી રાખી. આ બેઠક પરના જાતિવાદના સમીકરણને ધ્યાનમાં રાખતા જ ભાજપ તમામ નિર્ણયો લઇ રહ્યું છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
