Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CM રૂપાણીની જાહેરાત: ગુજરાતમાં રિલીઝ નહીં થાય 'પદ્માવતી'

બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી પત્રકાર પરિષદફિલ્મ 'પદ્માવતી' નહીં થાય ગુજરાતમાં રિલીઝઆ અંગે વધુ વાંચો અહીં...

ફિલ્મ 'પદ્માવતી'નો વિવાદ હજુ પણ શમ્યો નથી, જેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા. થોડા દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા કે, ફિલ્મ નિર્માણ કંપનીએ સ્વેચ્છાએ આ ફિલ્મની રિલીઝ તારીખ પાછળ ખેંચી લીધી છે. હવે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી જાહેરાત કરી હતી કે, ફિલ્મ 'પદ્માવતી' રાજ્યમાં રિલીઝ નહીં થાય. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મથી લોકોની લાગણી દુભાઇ છે. ફિલ્મ અંગેનો વિવાદ પૂરો થયા બાદ આ અંગે વિચારણા કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સરકારની છે. વિવાદોથી વાતાવરણ બગડે નહીં, ખાસ કરીને ચૂંટણી નજીક છે એને માટે પણ કાયદો વ્યવસ્થા જળવાય જરૂરી છે. આથી આ નિર્ણય લેવાયો છે.

vijay rupani

તેમણે આગળ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ સહિત ઘણા લોકોની લાગણી દુભાઇ છે, ધાર્મિક અને વ્યક્તિગત ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફિલ્મને લગતા આ વિવાદો પૂરા ન થાય ત્યાં સુધી પદ્માવતી ફિલ્મ ગુજરાતમાં દેખાડવામાં નહીં આવે. ગૃહ મંત્રાયલમાં આ અંગેની કાર્યવાહી આજથી શરૂ થઇ છે. મેં આ ફિલ્મ નથી જોઇ, જોવાની જરૂર પણ નથી. જે લોકો વિરોધ કરી રહ્યાં છે, એમને ફિલ્મ બતાવે. જેમની લાગણી ઘવાઇ છે, તેમનું સમાધાન થાય એ પછી ફિલ્મની રિલીઝ અંગે વિચારણા થશે. લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ પ્રત્યેનો રોષ રાજસ્થાનથી થઇ ગુજરાતમાં પણ પહોંચ્યો હતો. રાજપૂત કરણી સેના દ્વારા ગાંધીનગરમાં આ ફિલ્મના વિરોધમાં મહાસંમેલનમાં મોટા પ્રમાણ લોકો જોવા મળ્યા હતા, આ સાથે જ સુરતમાં પણ રાજપૂતો ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પણ ફિલ્મના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X