CM રૂપાણીની જાહેરાત: ગુજરાતમાં રિલીઝ નહીં થાય 'પદ્માવતી'
બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી પત્રકાર પરિષદફિલ્મ 'પદ્માવતી' નહીં થાય ગુજરાતમાં રિલીઝઆ અંગે વધુ વાંચો અહીં...
ફિલ્મ 'પદ્માવતી'નો વિવાદ હજુ પણ શમ્યો નથી, જેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા. થોડા દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા કે, ફિલ્મ નિર્માણ કંપનીએ સ્વેચ્છાએ આ ફિલ્મની રિલીઝ તારીખ પાછળ ખેંચી લીધી છે. હવે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી જાહેરાત કરી હતી કે, ફિલ્મ 'પદ્માવતી' રાજ્યમાં રિલીઝ નહીં થાય. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મથી લોકોની લાગણી દુભાઇ છે. ફિલ્મ અંગેનો વિવાદ પૂરો થયા બાદ આ અંગે વિચારણા કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સરકારની છે. વિવાદોથી વાતાવરણ બગડે નહીં, ખાસ કરીને ચૂંટણી નજીક છે એને માટે પણ કાયદો વ્યવસ્થા જળવાય જરૂરી છે. આથી આ નિર્ણય લેવાયો છે.

તેમણે આગળ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ સહિત ઘણા લોકોની લાગણી દુભાઇ છે, ધાર્મિક અને વ્યક્તિગત ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફિલ્મને લગતા આ વિવાદો પૂરા ન થાય ત્યાં સુધી પદ્માવતી ફિલ્મ ગુજરાતમાં દેખાડવામાં નહીં આવે. ગૃહ મંત્રાયલમાં આ અંગેની કાર્યવાહી આજથી શરૂ થઇ છે. મેં આ ફિલ્મ નથી જોઇ, જોવાની જરૂર પણ નથી. જે લોકો વિરોધ કરી રહ્યાં છે, એમને ફિલ્મ બતાવે. જેમની લાગણી ઘવાઇ છે, તેમનું સમાધાન થાય એ પછી ફિલ્મની રિલીઝ અંગે વિચારણા થશે. લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ પ્રત્યેનો રોષ રાજસ્થાનથી થઇ ગુજરાતમાં પણ પહોંચ્યો હતો. રાજપૂત કરણી સેના દ્વારા ગાંધીનગરમાં આ ફિલ્મના વિરોધમાં મહાસંમેલનમાં મોટા પ્રમાણ લોકો જોવા મળ્યા હતા, આ સાથે જ સુરતમાં પણ રાજપૂતો ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પણ ફિલ્મના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
