For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં મુસ્લિમ પરિવારોના દરવાજે લાગ્યા લાલ ચોકડીના નિશાન

અમદાવાદના મુસ્લિમ વિસ્તારોના રહેણાંક વિસ્તારો પર લાગ્યા ચોકડીના નિશાન. ભાજપ અને કોંગ્રેસે આ મામલે કર્યા સામ સામે આક્ષેપ. વધુ વાંચો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીની પહેલા અમદાવાદના મુસ્લિમ રહેણાંક વિસ્તારોમાં કેટલાક પરિવારના દરવાજા અને દિવાલો પર લાલ રંગથી ચોકડીના નિશાને ચૂંટણીના મુદ્દાની વચ્ચે વિવાદ ઊભો કર્યો છે. ટાઇમ્સ નાઉની ખબર મુજબ સોમવારે મુસ્લિમ વિસ્તારોમાં કેટલાક ઘરો પાસે આવા ચિન્હ જોવા મળ્યા હતા. જે બાદ જ્યાં કેટલાક લોકો આને ભાજપનો વિરોધ ગણાવી રહ્યા છે તો કેટલાક તેને કોંગ્રેસની ચૂંટણી પહેલાની ચાલ. પણ કારણ જે પણ હોય સ્થાનિકો આવી ચોકડીની નિશાનીથી આહત છે.

Ahmedabad

આ મામલે ભાજપના પ્રવક્તા સંમિત પત્રએ જણાવ્યું કે ચૂંટણી પહેલા હારવાની ડરે ગુજરાત કોંગ્રેસ વોટ લેવા માટે આવો ખોટો ડર ઊભો કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ આ મામલે ભાજપ પર આરોપ મૂક્યો છે કે ભાજપ પાછું કોમી તોફાનનો ભય ઊભો કરીને ગુજરાતમાં વોટ મેળવવા માટે રાજકારણ રમી રહ્યું છે. આમ બન્ને પક્ષો આ મામલે એક બીજા પર આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આ તમામ વચ્ચે આવા લાલ ચોકડીના નિશાન કોણ કરી રહ્યું છે તે અંગે હજી કોઇ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઇ.

English summary
Gujarat Election: political storm over 'X' marks on Muslim houses at Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X