'અમે આપ અને ઓવેસીના કારણે હાર્યા...', ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યુ પાર્ટીની શરમજનક હારનુ કારણ
જ્યારે કોંગ્રેસ માત્ર 16 બેઠકો પર સમેટાઈ ગઈ ત્યારે તેણે હાર માટે AAP અને અસદુદ્દીન ઓવૈસીને જવાબદાર ઠેરવ્યા.
Congress on Gujarart Results 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે ગુજરાતમાં હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ હાર માટે આમ આદમી પાર્ટી અને AIMIMને જવાબદાર ઠેરવી રહ્યા છે. ગુજરાતના પ્રારંભિક વલણો અંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતુ કે વલણો અમારી વિરુદ્ધ છે. જનતાનો જે પણ નિર્ણય હશે તે અમે સ્વીકારીશુ. બાદમાં જ્યારે પાર્ટી માત્ર 16 બેઠકો પર સમેટાઈ ગઈ ત્યારે તેણે હાર માટે AAP અને અસદુદ્દીન ઓવૈસીને જવાબદાર ઠેરવ્યા. કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ AAPને વોટ કટિંગ પાર્ટી ગણાવી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત ચૂંટણીના પરિણામો 2022 અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે એ વાત સાચી છે કે આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી દરમિયાન વોટ કાપવાનુ એક કારણ હતુ. ખામીઓનુ વિશ્લેષણ કરવા માટે અમે ટૂંક સમયમાં બેઠક યોજીશુ. મને આશા છે કે આગામી સરકાર તેના વચનો પૂરા કરશે. ગુજરાતમાં ભાજપના જબરદસ્ત પ્રદર્શન બાદ જ્યાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપને અહીં 158 બેઠકો મળી રહી છે. તો કોંગ્રેસ માત્ર 16 બેઠકો પર જીત મેળવી રહી છે. આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળશે. જ્યારે અન્યને 04 બેઠકો મળી રહી છે.
કોંગ્રેસની શરમજનક હાર પર આ પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાર માટે અન્ય પક્ષોને જવાબદાર ઠેરવતા જોવા મળે છે. પહેલા શશિ થરૂર અને હવે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર. જગદીશ ઠાકોરે કહ્યુ, 'એ વાત સાચી છે કે આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી દરમિયાન (કોંગ્રેસના) વોટ કટિંગનુ એક કારણ હતુ. અમે ખામીઓનું વિશ્લેષણ કરવા ટૂંક સમયમાં એક બેઠક યોજીશુ. મને આશા છે કે આગામી સરકાર તેના વચનો પૂરા કરશે.'
શશિ થરૂરે પણ આમ આદમી પાર્ટી પર આવો જ આરોપ લગાવ્યો હતો. એક ટીવી ઈન્ટરવ્યુમાં શશિ થરૂરે ગુજરાતમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર બચવાનો પ્રયાસ કર્યો હતો. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, 'હું ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારકોની યાદીમાં નહોતો. તેથી જમીન પર શું થયુ તેનો જવાબ આપવો ખૂબ મુશ્કેલ છે.' સાથે જ તેમણે આમ આદમી પાર્ટી વિશે કહ્યુ કે આમ આદમી પાર્ટીએ વોટ છીનવવાની ભૂમિકા ભજવી છે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ










Click it and Unblock the Notifications
