'અમે આપ અને ઓવેસીના કારણે હાર્યા...', ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યુ પાર્ટીની શરમજનક હારનુ કારણ
જ્યારે કોંગ્રેસ માત્ર 16 બેઠકો પર સમેટાઈ ગઈ ત્યારે તેણે હાર માટે AAP અને અસદુદ્દીન ઓવૈસીને જવાબદાર ઠેરવ્યા.
Congress on Gujarart Results 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે ગુજરાતમાં હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ હાર માટે આમ આદમી પાર્ટી અને AIMIMને જવાબદાર ઠેરવી રહ્યા છે. ગુજરાતના પ્રારંભિક વલણો અંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતુ કે વલણો અમારી વિરુદ્ધ છે. જનતાનો જે પણ નિર્ણય હશે તે અમે સ્વીકારીશુ. બાદમાં જ્યારે પાર્ટી માત્ર 16 બેઠકો પર સમેટાઈ ગઈ ત્યારે તેણે હાર માટે AAP અને અસદુદ્દીન ઓવૈસીને જવાબદાર ઠેરવ્યા. કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ AAPને વોટ કટિંગ પાર્ટી ગણાવી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત ચૂંટણીના પરિણામો 2022 અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે એ વાત સાચી છે કે આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી દરમિયાન વોટ કાપવાનુ એક કારણ હતુ. ખામીઓનુ વિશ્લેષણ કરવા માટે અમે ટૂંક સમયમાં બેઠક યોજીશુ. મને આશા છે કે આગામી સરકાર તેના વચનો પૂરા કરશે. ગુજરાતમાં ભાજપના જબરદસ્ત પ્રદર્શન બાદ જ્યાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપને અહીં 158 બેઠકો મળી રહી છે. તો કોંગ્રેસ માત્ર 16 બેઠકો પર જીત મેળવી રહી છે. આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળશે. જ્યારે અન્યને 04 બેઠકો મળી રહી છે.
કોંગ્રેસની શરમજનક હાર પર આ પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાર માટે અન્ય પક્ષોને જવાબદાર ઠેરવતા જોવા મળે છે. પહેલા શશિ થરૂર અને હવે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર. જગદીશ ઠાકોરે કહ્યુ, 'એ વાત સાચી છે કે આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી દરમિયાન (કોંગ્રેસના) વોટ કટિંગનુ એક કારણ હતુ. અમે ખામીઓનું વિશ્લેષણ કરવા ટૂંક સમયમાં એક બેઠક યોજીશુ. મને આશા છે કે આગામી સરકાર તેના વચનો પૂરા કરશે.'
શશિ થરૂરે પણ આમ આદમી પાર્ટી પર આવો જ આરોપ લગાવ્યો હતો. એક ટીવી ઈન્ટરવ્યુમાં શશિ થરૂરે ગુજરાતમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર બચવાનો પ્રયાસ કર્યો હતો. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, 'હું ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારકોની યાદીમાં નહોતો. તેથી જમીન પર શું થયુ તેનો જવાબ આપવો ખૂબ મુશ્કેલ છે.' સાથે જ તેમણે આમ આદમી પાર્ટી વિશે કહ્યુ કે આમ આદમી પાર્ટીએ વોટ છીનવવાની ભૂમિકા ભજવી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
