ગુજરાત ચૂંટણી : અગ્રણી નેતાઓએ મતદાન કર્યું, લોકોને મત આપવા અપીલ

મતદાતાઓની સાથો-સાથ વિવિધ પક્ષના ઉમેદવારોએ મતદાન કર્યું છે. સુરતમાં કદીર પીરજાદા, નરોત્તમ પટેલ, નાનુ વાનાણીએ મતદાન કર્યું છે. રાજકોટમાં વિઠ્ઠલ રાદડિયા અને વજુભાઇ વાળાએ મતદાન કર્યું છે. ભાવનગરમાં પુરષોત્તમ સોલંકીએ મતદાન કર્યું છે. જામનગરમાં વસુબેન ત્રિવેદી અને કાલાવાડમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુએ મતદાન કર્યું છે. પોરબંદરના મોઢવાડમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મતદાન કર્યું છે. સાવરકુંડલામાં પ્રતામ દુધાતે મતદાન કર્યું છે. વ્યારામાં પુના ગામિત અને તુષાર ચૌધરીએ મતદાન કર્યું છે.
આ ઉપરાંત ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરસોત્તમ રૂપાલાએ અમરેલી ખાતે, વિજય રૂપાણીએ રૈયારોડ ખાતે, ભરતસિંહ પરમારે ઝગડિયા ખાતે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ધોળકા ખાતે, દિલીપ સંઘાણીએ અમરેલી ખાતે, ગણપત વસાવાએ સુરત ખાતે મતદાન કરીને ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે લોકોને મતદાન માટે બહાર નીકળી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.












Click it and Unblock the Notifications
