ગુજરાત: વલસાડ કોમર્સ કોલેજના 4 વિધાર્થીઓની ડૂબવાથી મૌત
કોમર્સ કોલેજના બે યુવતીઓ અને બે યુવાનો સહિત ચાર વિદ્યાર્થીઓ દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે.
કોમર્સ કોલેજના બે યુવતીઓ અને બે યુવાનો સહિત ચાર વિદ્યાર્થીઓ દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. આ ચારે વિદ્યાર્થીઓ સુરવાડા ગામ નજીક આવેલા દરિયા કિનારે ફરવા ગયા હતા, પરંતુ ચારેય ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ચારેય વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર આવ્યા બાદ પોલીસ ડૂબવાના કારણની તપાસ કરી રહી છે.

ચારે વિધાર્થીઓ દરિયા કિનારે ફરવા માટે નીકળ્યા હતા
મૃતકોની ઓળખ દીપક, નિમિષા, રશ્વિતા અને નીલ તરીકે થઈ છે. ચાર વલસાડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા હતા. મંગળવારે સાંજે તે સુરવાડા ગામ નજીક દરિયા કાંઠે ફરવા ગયા હતા. મોડી સાંજે આ ચારેય વિદ્યાર્થીઓના મૃતદેહ મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતા અને સબંધીઓને જાણ કરવામાં આવી હતી.
હત્યા, આત્મહત્યા કે પછી દુર્ઘટના
ચારેય વિદ્યાર્થીઓના અચાનક મોતને કારણે લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે. પોલીસની તપાસ દરમિયાન પણ આ ચારેયના ડૂબી જવાનું કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. તેમજ કોઈએ પણ આ વિદ્યાર્થીઓના ડૂબવાની પુષ્ટિ કરી નથી. પોલીસ આપઘાત, હત્યા અને અકસ્માતની ત્રણેય ખૂણાઓની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: આ વર્ષે સ્વાઈન ફ્લૂના 27 હજારથી વધુ કેસો, મૃત્યુમાં ગુજરાત બીજા ક્રમે












Click it and Unblock the Notifications
