ચૂંટણી પહેલા સરકારે આશા વર્કરને 50% પગાર વધારાથી કર્યા ખુશ
નીતિન પટેલ આશા વર્કરોના પગારમાં કર્યો 50 ટકાનો વધારો. સાથે જ ખેડૂતોને જીએસટીમાંથી આપી રાહત. શિક્ષકો અને શિષ્યવૃત્તિની સહાય પર પણ વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે કરી મોટી જાહેરાતો. વાંચો વિગતવાર અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર તેનાથી નારાજ તમામ લોકોને એક પછી એક સારા સમાચાર આપી ખુશ કરી રહી છે. જેમાં હવે તે લાંબા સમયથી વિરોધ કરી રહેલી આશા વર્કરને ખુશ કરવા તેમના પગારમાં 50 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આશા વર્કરોના પગરમાં 50 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. જેનાથી 40 હજાર જેટલી આશા વર્કરોને ફાયદો મળશે. આ ઉપરાંત ખેડૂતો અને શિક્ષકોને સરકારે સહાય આપવાની જાહેરાત કરી છે.
ખેડૂતોને સરકારે 18 ટકા જીએસટીમાંથી મુક્તિ આપવાની વાત કહી છે. સાથે જ ટપક સિંચાઇથી ખેતી કરતા ખેડૂતોને જીએસટીમાંથી માફી મળશે. વધુમાં tet,tat પાસ કરેલા શિક્ષકોને છૂટા નહીં કરવા અને 10 વર્ષથી વધુ નોકરી કરતા શિક્ષકોને માન્ય કરવાની જાહેરાત પણ સરકારે કરી છે. સાથે જ એસી, એસટી, ઓબીસી માટે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. સાથે જ કરાર આધારિત મહિલા કર્મચારીઓની રજામાં વધારા સમતે એક પ્રસૂતિ વખતે 90 દિવસનો પગાર મળશે તેવી પણ જાહેરાત ગુજરાત રાજ્ય સરકારે આજે કરી છે. વધુમાં સહાય અને શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા પણ વધારાઇ છે જે અગાઉ 47 હજાર રૂપિયા સુધીની જ હતી.