ચૂંટણી પહેલા સરકારે આશા વર્કરને 50% પગાર વધારાથી કર્યા ખુશ
નીતિન પટેલ આશા વર્કરોના પગારમાં કર્યો 50 ટકાનો વધારો. સાથે જ ખેડૂતોને જીએસટીમાંથી આપી રાહત. શિક્ષકો અને શિષ્યવૃત્તિની સહાય પર પણ વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે કરી મોટી જાહેરાતો. વાંચો વિગતવાર અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર તેનાથી નારાજ તમામ લોકોને એક પછી એક સારા સમાચાર આપી ખુશ કરી રહી છે. જેમાં હવે તે લાંબા સમયથી વિરોધ કરી રહેલી આશા વર્કરને ખુશ કરવા તેમના પગારમાં 50 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આશા વર્કરોના પગરમાં 50 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. જેનાથી 40 હજાર જેટલી આશા વર્કરોને ફાયદો મળશે. આ ઉપરાંત ખેડૂતો અને શિક્ષકોને સરકારે સહાય આપવાની જાહેરાત કરી છે.

ખેડૂતોને સરકારે 18 ટકા જીએસટીમાંથી મુક્તિ આપવાની વાત કહી છે. સાથે જ ટપક સિંચાઇથી ખેતી કરતા ખેડૂતોને જીએસટીમાંથી માફી મળશે. વધુમાં tet,tat પાસ કરેલા શિક્ષકોને છૂટા નહીં કરવા અને 10 વર્ષથી વધુ નોકરી કરતા શિક્ષકોને માન્ય કરવાની જાહેરાત પણ સરકારે કરી છે. સાથે જ એસી, એસટી, ઓબીસી માટે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. સાથે જ કરાર આધારિત મહિલા કર્મચારીઓની રજામાં વધારા સમતે એક પ્રસૂતિ વખતે 90 દિવસનો પગાર મળશે તેવી પણ જાહેરાત ગુજરાત રાજ્ય સરકારે આજે કરી છે. વધુમાં સહાય અને શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા પણ વધારાઇ છે જે અગાઉ 47 હજાર રૂપિયા સુધીની જ હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
