તાત્કાલિક આ કામ કરી લો, નહીં તો બંધ થઈ જશે રેશન કાર્ડ
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રેશનકાર્ડ ધારકો માટે નવો આદેશ જાહેર કર્યો છે. સરકારી અનાજનો લાભ મેળવતા તમામ સભ્યોએ હવે વહેલી તકે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
જો કોઈ સભ્ય નિર્ધારિત સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો તેમને મળતું મફત અનાજ બંધ થઈ શકે છે. સરકારનો મુખ્ય હેતુ નકલી લાભાર્થીઓને સિસ્ટમમાંથી દૂર કરી પારદર્શકતા લાવવાનો છે.

આ પ્રક્રિયા દ્વારા બોગસ રેશનકાર્ડ રદ કરવામાં આવશે અને માત્ર જરૂરિયાતમંદ પરિવારોને જ યોજનાનો લાભ મળશે. વેરિફિકેશન કરાવનાર સભ્યોને કોઈપણ અડચણ વગર નિયમિતપણે અનાજનું વિતરણ ચાલુ રાખવામાં આવશે.
નાગરિકો પોતાની ગ્રામ પંચાયતમાં VCE ઓપરેટર પાસે જઈને ઈ-કેવાયસીની કામગીરી વિનામૂલ્યે કરાવી શકે છે. આ ઉપરાંત નજીકની સસ્તા અનાજની દુકાને ફિંગરપ્રિન્ટ આપીને પણ વેરિફિકેશન પ્રક્રિયા સરળતાથી થઈ શકશે.
સ્થાનિક પોસ્ટ ઓફિસ અને મામલતદાર કચેરી ખાતે પણ આ સુવિધા સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ બાયોમેટ્રિક પ્રક્રિયા હોવાથી રેશનકાર્ડમાં નોંધાયેલા સભ્યોએ આધાર કાર્ડ સાથે રૂબરૂ હાજર રહેવું પડશે.
ટેકનોલોજીના માધ્યમથી ઘરે બેઠા કામ પતાવવા માંગતા લોકો માટે 'માય રેશન' (My Ration) એપ લોન્ચ કરાઈ છે. પ્લેસ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી આધાર નંબર દ્વારા સેલ્ફ ઈ-કેવાયસી કરી શકાય છે.
સરકારી તંત્ર અને માહિતી બ્યુરોએ તમામ કાર્ડ ધારકોને વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવા અપીલ કરી છે. સમયસર નોંધણી અપડેટ કરાવવાથી ભવિષ્યમાં અનાજ મેળવવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થશે નહીં.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
