ઉત્તરાખંડના પીડિતો માટે વધુ 3 કરોડ આપશે ગુજરાત
ગાંધીનગર, 25 જૂન: ગુજરાત સરકારે ઉત્તરાખંડના પીડિતો માટે સોમવારે મુખ્યમંત્રી રાહત કોષમાંથી વધુ 3 કરોડ રૂપિયાની સહાયતા રાશિ આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ગત અઠવાડિયે પૂર પીડિતો માટે 2 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગત અઠવાડિયે ગુજરાત સરકારે ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે સર્જાયેલી તબાહીમાં ત્યાં ફસાયેલા લોકોને રાહત માટે 2 કરોડ આપવાની જાહેરાત કરી હતી.

જાહેર કરવામાં આવેલી આધિકારીક વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તરાખંડમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મોડી સાંજે દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણા સાથે બેઠક યોજીને ઉત્તરાખંડની મેઘતાંડવની વિનાશક કુદરતી આફતમાં તારાજ થયેલા પ્રસિદ્ધ કેદારનાથ તીથર્ના પરિસરનો આધુનિક જિર્ણોદ્ધારની જવાબદારી લેવા ગુજરાત તૈયાર છે તેવી દરખાસ્ત કરી હતી.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી






Click it and Unblock the Notifications
