ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે આપી મોટી રાહત, 12 જૂન સુધી નર્મદા જિલ્લામાં કરી શકશે પ્રવેશ
Lok sabha Election 2024: ગુજરાત હાઈકોર્ટ દ્વારા આમ આદમી પાર્ટીના ભરૂચ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાને 12 જૂન સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ડેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવા, જેઓ છેડતી અને વન અધિકારીઓ પર હુમલો કરવાના કેસમાં શરતી જામીન પર બહાર છે, તેમને ટ્રાયલ પૂર્ણ ન થાય, ત્યાં સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
જસ્ટિસ એમ આર મેંગડેની અધ્યક્ષતાવાળી ગુજરાત હાઇકોર્ટે 12 જૂન સુધી આગામી સુનાવણી સુધી નર્મદા જિલ્લામાં વસાવાના પ્રવેશ પરનો પ્રતિબંધ અસ્થાયી ધોરણે હટાવી દીધો હતો.
ગુજરાત હાઇકોર્ટે વસાવાના ભારતીય નાગરિક તરીકે ચૂંટણી લડવાના તેમના વૈધાનિક અધિકારને સમર્થન આપતાં આગામી સંસદીય ચૂંટણીઓ માટે ઉમેદવાર તરીકેના નામાંકનની નોંધ લીધી હતી.

ચૈતર વસાવાની કાનૂની મુશ્કેલીઓ એક ઘટનાથી ઊભી થઈ હતી, જ્યાં તેમણે ડેડિયાપાડા ખાતેના તેમના નિવાસસ્થાને વન વિભાગના અધિકારીઓને કથિત રીતે ધમકી આપી અને હથિયારથી ફાયરિંગ કર્યું હતું.












Click it and Unblock the Notifications
