આવકવેરા વિભાગે એક વર્ષમાં ગુજરાતમાં 31 છાપા, 29,764 કરોડની સંપત્તિ પકડી
ગુજરાતમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ વર્ષ 2018-19 દરમિયાન 31 છાપા માર્યા. એક વર્ષના આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થયેલી ફરિયાદને કારણે, 16 તપાસ હાથ ધરવામાં આવી હતી
ગુજરાતમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ વર્ષ 2018-19 દરમિયાન 31 છાપા માર્યા. એક વર્ષના આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થયેલી ફરિયાદને કારણે, 16 તપાસ હાથ ધરવામાં આવી હતી અને કુલ 29,764 કરોડની બેનામી સંપત્તિ પકડાઈ. આશ્ચર્યજનક વાત એ છે કે, રાજ્યમાં સૌથી વધુ 19879.83 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ એકલા અમદાવાદમાંથી જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: રેસ્ટોરેન્ટ અને કંપનીઓ જીએસટી વસુલ કરી રહી છે, પરંતુ સરકાર સુધી પહોંચતું નથી

ગુજરાતમાં સૌથી વધુ બેનામી સંપત્તિ અમદાવાદમાંથી પકડાઈ
આવકવેરા વિભાગની કાર્યવાહીમાં, 1965 કરોડની બેનામી સંપત્તિની તપાસ કરવામાં આવી હતી, જેમાં 1948.12 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ અમદાવાદ અને 17.73 કરોડ રૂપિયાની રકમ સુરતની હતી, જે આવકવેરા વિભાગને હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. અમદાવાદમાં 18 સ્થાનો અને સુરતમાં 13 સ્થળો પર છાપા મારવામાં આવ્યા હતા. આ છાપામાં અમદાવાદમાં 59.83 કરોડ રૂપિયા અને સુરતમાં 8.24 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ગુજરાતમાં 16 કરદાતાઓ પર વ્યક્તિગત તપાસ કરવામાં આવી છે. આ કરદાતાઓએ 1987 કરોડ રૂપિયાની બેનામી આવક સ્વીકારી છે. આરોપીઓએ 512 કરોડ રૂપિયાની આવક પણ સ્વીકારી હતી, જેને તેઓએ જાહેર કર્યું નહોતું.

સુરતમાં 22 કેસ
આવકવેરા વિભાગના ઇન્વેસ્ટિગેશન વિંગને 7896 કરોડ રૂપિયાની અઘોષિત આવક મળી. આમાંથી અમદાવાદમાંથી સૌથી વધુ 7835 કરોડ રૂપિયા મળ્યા છે અને સુરતથી 2901 કરોડ રૂપિયાની બેહિસાબી આવક મળી છે. ફરિયાદોના આધારે, આવકવેરા વિભાગએ 61.40 કરોડ રૂપિયા પકડ્યા છે. અમદાવાદમાં 22 કેસ અને સુરતમાં 22 કેસ કરવામાં આવ્યા છે.

લોકસભાની ચૂંટણીઓ દરમિયાન પણ થઇ જબરદસ્ત કાર્યવાહી
લોકસભાની ચૂંટણીઓ દરમિયાન આવકવેરા વિભાગ ગુજરાતમાંથી 11.38 કરોડ રૂપિયા રોકડ પકડવામાં સફળ રહ્યો હતો. ચૂંટણી આચાર સંહિતા દરમિયાન, અમદાવાદથી 6.64 કરોડ, સુરતથી 1.31 કરોડ, રાજકોટથી 1.44 કરોડ, વડોદરાથી 75.36 લાખ અને વાપીથી 1.52 કરોડની રોકડ મળી હતી.












Click it and Unblock the Notifications
