For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાયોના મોત અંગે વીમા કંપનીએ આપ્યો મહત્વનો ચુકાદો

ગાય પર વીમાના પૈસા આપવા મામલે ભારતીય ગ્રાહક સુરક્ષા દ્વારા શું મહત્વનો ચૂકાદો આવ્યો છે તે અંગે દરેક પશુપાલક અને ખેડૂતે વાંચવું જોઇએ. જાણો વધુ અહીં

By Oneindia
|
Google Oneindia Gujarati News

ગાયોના મોત અંગે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર કમિશન દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદી એ તેની ગાયો ના મરણ બાદ વીમા કંપની માં દાવો કર્યો હતો પણ વીમા કંપની એ વીમો નામંજૂર કરતા ફરિયાદીએ કમિશ્નને ફરિયાદ કરી હતી. જેના આધારે કમિશને ઓર્ડર આપવામાં આવ્યો હતો કે વીમા કંપની બે ગાય ના મોત અંગે વીમા કંપની રકમ ચૂકવે અને કોર્ટ ખર્ચ ના નાણાં પણ આપે. આમ આ ખૂબ મહત્વ નો ચુકાદો ગણવામાં આવે છે. આ બનાવની વિગતો એવી છે કે અમદાવાદના દસક્રોઈ ખાતે રહેતા વિનોદભાઈ પટેલે રૂપિયા 3.20 લાખની કિંમત ની પાંચ ગાયો ની ખરીદી 2 વર્ષ પહેલાં કરી હતી અને આ માટે સહકારી મંડળીમાંથી લોન પણ લીધી હતી. સાથોસાથ આઇ સી આઇ સી આઈ લોમબર્ડ માંથી. વીમો લીધો હતો. જેમાં ગાય દીઠ રૂપિયા 4495 પ્રીમિયમ પણ ભર્યું હતું. આ દરમિયાન ત્રણ ગાયો ના મોત થયા હતા.

Cow

જેમાં બહાર આવ્યું હતું કે બે ગાયોના મોત બીમારી ના કારણે થયા હતા. જેથી વિનોદભાઈએ વીમા કંપનીમાં દાવો કર્યો હતો પણ વીમા કંપની એ આ દાવો રિજેક્ટ કરતા વિનોદભાઈએ અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ સમિતિ માં અરજી કરી હતી પણ સમિતિએ તેમની અરજી નકારી કાઢી હતી. ત્યારબાદ વિનોદભાઇ અખિલ ભારતીય ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ માં રજુઆત કરતા સમિતિ ના પ્રમુખ મુકેશભાઈ પરીખે સ્ટેટ સમિતિમાં આ મુદ્દે અરજી કરીને વીમો પાસ કરાવવા માટે ની રજુઆત કરી હતી. જેમાં વિવિધ કારણો આપી કંપની દ્વારા રિજેક્ટ કરવામાં આવેલા દાવાનો વિરોધ કર્યો હતો. અને દલીલો સાંભળ્યા બાદ સ્ટેટ સમિતિ એ વીમા કંપનીને હુકમ કર્યો હતો કે ગાય ના મોત દીઠ રૂપિયા 40000 તેમજ 10000 રૂપિયા વિનોદભાઈને ચૂકવી આપવા. આમ, સ્ટેટ કમીશન દ્વારા મહત્વ નો ચુકાદો આપવામાં આવ્યો હતો .

English summary
Gujarat : Key Verdict came on Cow insurance, read here more on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X