ગુજરાત પર 'તૌકતે' વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના, આ દિવસે અરબી સમુદ્રના કાંઠે ટકરાવાનુ જોખમ
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 15 મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય થવાની સંભાવના છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરના પ્રકોપ વચ્ચે બીજી એક કુદરતી આફત દસ્તક દઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 15 મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય થવાની સંભાવના છે. આગાહીમાં જણાવ્યા મુજબ 16 મેના રોજ 'તૌકતે' નામનુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. વધુમાં આગાહી કરવામાં આવી છે કે ઐ વર્ષનુ પહેલુ વાવાઝોડુ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કિનારે ટકરાઈ શકે છે.

વાવાઝોડાની સાથે વરસાદ પણ થવાની સંભાવના
હવામાન વિભાગ મુજબ 14મેના રોજ અરબી સમુદ્રમાં હવાનુ દબાણ સર્જાઈ શકે છે. જે 15 મેના રોજ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જે ત્યારબાદ 16 મેના રોજ વાવાઝોડા તરીકે સક્રિય થઈ શકે છે. વાવાઝોડાની સાથે વરસાદ પણ થવાની સંભાવના છે. ગુજરાતમાં આ આફતની આગાહી વચ્ચે વહીવટી પ્રશાસન સચેત થયુ છે. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલમાં ચિંતાની કોઈ પરિસ્થિતિ નથી. સંભવિત વાવાઝોડુ કચ્છમાં ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પ્રશાસને કચ્છ જિલ્લામાં કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ સતર્ક બની છે અને દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટને પરત ફરવા માટે કહેવામાં આવ્યુ છે.

ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકી શકે
હવામાન વિભાગની આગાહી મુજબ 15 મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય થવાની સંભાવના છે. આગામી ત્રણ-ચાર દિવસ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકિનારાના વિસ્તારોમાં વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે. તટરક્ષક દળના જવાનોએ દરિયામાં માછીમારી કરતા લોકોને સુરક્ષિત દરિયાકિનારે પહોંચવા જણાવ્યુ છે. ખાસ કરીને કચ્છમાં કંડલા અને મુંદ્રા તેમજ નલિયાના જખૌ બંદરે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

અહીં ભારે વરસાદની સંભાવના
શુક્રવારે સવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગર પર ઓછા દબાણવાળુ વાતાવરણ બની શકે છે. જેના કારણે લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમી ભાગમાં રવિવારે ચક્રવાત તોફાનની સંભાવના વ્યક્ત કરી હતી. સાથે જ મંગળવારે પૂર્વ મધ્ય અરબ સાગર પર વાવાઝોડાની શક્યતા દર્શાવી હતી. હાલમાં આવનાર વાવાઝોડા 'તૌકતે'નો અર્થ વધારે અવાજ કરનારુ એવો થાય છે. આ નામ મ્યાનમારે આપેલુ છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
