ગુજરાત પર 'તૌકતે' વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના, આ દિવસે અરબી સમુદ્રના કાંઠે ટકરાવાનુ જોખમ
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 15 મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય થવાની સંભાવના છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરના પ્રકોપ વચ્ચે બીજી એક કુદરતી આફત દસ્તક દઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 15 મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય થવાની સંભાવના છે. આગાહીમાં જણાવ્યા મુજબ 16 મેના રોજ 'તૌકતે' નામનુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. વધુમાં આગાહી કરવામાં આવી છે કે ઐ વર્ષનુ પહેલુ વાવાઝોડુ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કિનારે ટકરાઈ શકે છે.

વાવાઝોડાની સાથે વરસાદ પણ થવાની સંભાવના
હવામાન વિભાગ મુજબ 14મેના રોજ અરબી સમુદ્રમાં હવાનુ દબાણ સર્જાઈ શકે છે. જે 15 મેના રોજ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જે ત્યારબાદ 16 મેના રોજ વાવાઝોડા તરીકે સક્રિય થઈ શકે છે. વાવાઝોડાની સાથે વરસાદ પણ થવાની સંભાવના છે. ગુજરાતમાં આ આફતની આગાહી વચ્ચે વહીવટી પ્રશાસન સચેત થયુ છે. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલમાં ચિંતાની કોઈ પરિસ્થિતિ નથી. સંભવિત વાવાઝોડુ કચ્છમાં ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પ્રશાસને કચ્છ જિલ્લામાં કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ સતર્ક બની છે અને દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટને પરત ફરવા માટે કહેવામાં આવ્યુ છે.

ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકી શકે
હવામાન વિભાગની આગાહી મુજબ 15 મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય થવાની સંભાવના છે. આગામી ત્રણ-ચાર દિવસ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકિનારાના વિસ્તારોમાં વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે. તટરક્ષક દળના જવાનોએ દરિયામાં માછીમારી કરતા લોકોને સુરક્ષિત દરિયાકિનારે પહોંચવા જણાવ્યુ છે. ખાસ કરીને કચ્છમાં કંડલા અને મુંદ્રા તેમજ નલિયાના જખૌ બંદરે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

અહીં ભારે વરસાદની સંભાવના
શુક્રવારે સવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગર પર ઓછા દબાણવાળુ વાતાવરણ બની શકે છે. જેના કારણે લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમી ભાગમાં રવિવારે ચક્રવાત તોફાનની સંભાવના વ્યક્ત કરી હતી. સાથે જ મંગળવારે પૂર્વ મધ્ય અરબ સાગર પર વાવાઝોડાની શક્યતા દર્શાવી હતી. હાલમાં આવનાર વાવાઝોડા 'તૌકતે'નો અર્થ વધારે અવાજ કરનારુ એવો થાય છે. આ નામ મ્યાનમારે આપેલુ છે.
-
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર












Click it and Unblock the Notifications
