ગુજરાતની મધર મિલ્ક બેંક, 7800થી વધુ બાળકોને નવજીવન મળ્યું
કહેવાય છે કે માનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ ઘણી વખત કેટલીક માતાઓ સ્વાસ્થ્ય સંબંધી કારણોસર પોતાના બાળકને ધાવણ આપી શકતી નથી.
આવા સમયે નવજાત બાળકોને પૂરતું પોષણ મળી રહે અને બાળ મૃત્યુદરનું પ્રમાણ ઘટાડી શકાય તે માટે ગુજરાત સરકારે એક અનોખી પહેલ કરી છે. આ પહેલ એટલે હ્યુમન મિલ્ક બેંક અથવા મધર મિલ્ક બેંક. આ બેંક અનેક નવજાત બાળકો માટે જીવનદાતા બની રહી છે.

વર્ષ 2024-25માં, રાજ્યભરમાં આવેલી હ્યુમન મિલ્ક બેંકમાં 5,537 માતાઓએ 5,036 લીટર દૂધનું દાન કર્યું છે. આ દાન દ્વારા અત્યાર સુધીમાં 7,829 બાળકોને નવજીવન મળ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે આ પહેલ કેટલી અસરકારક સાબિત થઈ રહી છે.
હ્યુમન મિલ્ક બેંક કોમ્પ્રીહેન્સિવ લેક્ટેશન મેનેજમેન્ટ સેન્ટર (CLMC) તરીકે પણ ઓળખાય છે, તે અન્ય માતાઓ દ્વારા દાન કરાયેલા દૂધને એકત્રિત, પ્રોસેસ અને સ્ટોર કરવાનું કાર્ય કરે છે.
આ દૂધ એવા બાળકોને આપવામાં આવે છે જેઓ સમય પહેલા જન્મ્યા હોય (પ્રીટર્મ), ઓછું વજન ધરાવતા હોય અથવા જેઓ કોઈ ગંભીર બીમારીને કારણે માતાનું દૂધ સીધું પી શકતા નથી.
ગુજરાતમાં હાલ સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર જેવી મુખ્ય મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં CLMC કાર્યરત છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 21,357 માતાઓએ દૂધનું દાન કર્યું છે, જેનાથી 19,871 બાળકોને પોષણયુક્ત આહારનો લાભ મળ્યો છે.
દૂધ દાનની પ્રક્રિયા : સલામત અને સરળ
જે માતાઓ પોતાનું બાળક ધરાઈ ગયા બાદ પણ વધુ ધાવણ આવતું હોય તેઓ આ બેંકમાં દૂધનું દાન કરી શકે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સલામત અને સરળ છે.
- સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ : દૂધ દાન કરવા ઇચ્છુક માતાઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. તેમના બ્લડ રિપોર્ટ્સ (જેમાં HIV, કમળો અને સિફિલિસ જેવા રોગોની તપાસ થાય છે) નોર્મલ આવ્યા બાદ જ તેમનું દૂધ સ્વીકારવામાં આવે છે.
- દૂધ એકત્રીકરણ : ઇલેક્ટ્રિક બ્રેસ્ટ પંપનો ઉપયોગ કરીને દૂધ એકત્ર કરવામાં આવે છે, જેથી માતાને કોઈ પણ પ્રકારની અગવડતા કે દુખાવો થતો નથી.
- પ્રોસેસિંગ અને સ્ટોરેજ : દાનમાં મળેલા દૂધને પેસ્ચ્યુરાઈઝ્ડ કરીને -18 થી -20 ડિગ્રી તાપમાને ડીપ-ફ્રીઝમાં સ્ટોર કરવામાં આવે છે, જ્યાં તે છ મહિના સુધી સુરક્ષિત રહી શકે છે.
- વિતરણ : સ્ટોર કરેલું આ દૂધ એવા બાળકોને પ્રાધાન્યતાના ધોરણે આપવામાં આવે છે જેઓ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોય.
મધર મિલ્ક બેંકમાં દૂધ દાન કરવું એ રક્તદાન જેટલું જ અમૂલ્ય છે. માતાના દૂધનું દાન કરીને અનેક મહિલાઓ સાચા અર્થમાં યશોદા બની રહી છે અને અજાણ્યા બાળકોના જીવનમાં નવસંચાર લાવી રહી છે.
જણાવી દઈએ કે, બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય જન્મના પ્રથમ કલાકમાં જ સ્તનપાન શરૂ કરવા, છ મહિના સુધી માત્ર સ્તનપાન કરાવવા અને ત્યારબાદ ઉપરનો આહાર શરૂ કરવા વિશે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે.
ગુજરાત સરકારની આ પહેલથી અનેક પરિવારોમાં ખુશીઓ પાછી ફરી છે. મધર મિલ્ક બેંક એ માત્ર એક તબીબી સુવિધા નથી, પરંતુ તે માતાની મમતા અને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
