ગુજરાતમાં બોર્ડ અને નિગમોના નવા ચેરમેનની નિમણૂંક
ગાંધીનગર, 30 ઓક્ટોબર : છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી તેવી ગુજરાત રાજ્યના વિવિધ બોર્ડ અને નિગમોમાં તેના અધ્યક્ષોની નિયુક્તિની ઘોષણા ગુજરાત સરકારે કરી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 29 ઓક્રાટોબર, 2013 મંગળવારના રોજ રાજ્યમાં અનેક સરકાર હસ્તકની બોર્ડ તથા નિગમોમાં અધ્યક્ષોની નિમણૂંક આગામી લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોય તેમ રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
આ પ્રક્રિયા અંતર્ગત ગુજરાતના જુદા જુદા બોર્ડ તથા નિગમોમાં 11 ચેરમેનોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નરહરિ અમીનને રાજ્યમાં આયોજન પંચના નાયબ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ હોદ્દાને રાજ્ય પ્રધાનપદને સમાન ગણવામાં આવે છે.

મોદીના અન્ય વિશ્વાસુ અને રાજ્ય સભાના ભૂતપૂર્વ સદસ્ય વિજય રૂપાણીને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ પ્રધાન મુળૂભાઈ બેરાને ગુજરાત રુરલ હાઉસિંગ બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે વિવેકભાઈ પટેલને ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન, મેઘજીભાઈ કણઝારિયાને સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના (સૌરાષ્ટ્ર/કચ્છ વિભાગ)ના ચેરમેન બનાવાયા છે.
આ ઉપરાંત ગણેશ ચૌધરીને સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના (ગુજરાત મેનલેન્ડ)ના ચેરમેન, અરણજભાઈ રબારીને ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિમિટેડના ચેરમેન, બાબુભાઈ જેબલીયાને ગુજરાત એગ્રો કોર્પોરેશન લિમિટેડના ચેરમેન, ભૂપેન્દ્ર લાખાવાલાને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશનના ચેરમેન, જયંતીભાઈ બારોટને ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન અને પ્રદિપ વાળાને ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના વાઈસ-ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે











Click it and Unblock the Notifications
