ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોનું જાહેરનામુ 2 એપ્રિલે પ્રસિદ્ધ થશે
ગાંધીનગર, 1 એપ્રિલ : ગુજરાત રાજ્યમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેનું જાહેરનામુ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 2 એપ્રિલના રોજ જાહેર કરાશે. ત્યાર બાદ 9 એપ્રિલ સુધી ઉમેદવારો તેમના નામાંકન ભરી શકશે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંદર્ભમાં વિવિધ પ્રક્રિયાઓ બુધવાર 2 એપ્રિલ, 2014થી શરૂ થઇ રહી છે. જાહેરનામુ પ્રસિદ્ધ થવાની સાથે જ નામાંકનપત્ર મેળવવાની, ભરવાની અને તેને સુપરત કરવાની પ્રક્રિયા શરુ થશે.

ભારતના ચુંટણીપંચે જાહેર કર્યા મુજબ ગુજરાતમાં લોકસભાની ચુંટણી સાતમા તબક્કામાં 30 એપ્રિલના રોજ આવે છે. ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે 2થી 9 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ચકાસણી 10મીએ થશે. ફોર્મ પાછા ખેચવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ છે. મતદાન 30 એપ્રિલે યોજાશે. આખા દેશની મત ગણતરી એક સાથે 16મે શુક્રવારે થશે. ચુંટણી પ્રક્રિયા 26મે સુધીમાં પુરી કરવાની છે.
ચુંટણીનો કાર્યક્રમ 5 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. ચૂંટણી જાહેરાતના દિવસથી જ આચારસંહિતા લાગુ પડી ગઇ છે. નવી સરકારની રચના થતા સુધી આચારસંહિતા અમલમાં રહેશે. ગુજરાતમાં 40000 થી વધુ મતદાન મથકો, 26 બેઠકો, 182 વિધાનસભાા મત વિસ્તારો અને 4 કરોડ જેટલા મતદારો છે.
ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થતા પહેલા આજે મંગળવારે વિડીયો કોન્ફરન્સમાં રાજયના મુખ્ય ચુંટણી અધિકારી દ્વારા વિશેષ માર્ગદર્શન અપાયું હતું.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
