ગાંધીજીની જન્મભૂમિ પર જ બાપુનું અપમાન, મૂર્તિ પરથી ચશ્મા ગુમ
ગાંધીજીની જન્મભૂમિ તેવા પોરબંદરમાં જ ગાંધીજીની મૂર્તિનો થયો અનાદર. 2જી ઓક્ટોબર પહેલા ગાંધીજીની મૂર્તિ પરથી થયા તેમના ચશ્મા ગુમ. વધુ વાંચો અહીં.
ગુજરાતના પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિથી ચશ્મા ગુમ થવાની વાત સામે આવી છે. પોરબંદરના મણેક ચોક પર લગાવવામાં આવેલી ગાંધીજીની મૂર્તિ પર ગત ત્રણ દિવસથી ચશ્મા ગાયબ છે. અને પ્રશાસન પણ આ મામલે ચૂપકી સાંધીને બેઠું છે. નોંધનીય છે કે કાલે એટલે કે 2જી ઓક્ટોબરે સમગ્ર દેશમાં ગાંધી જયંતી મનાવવામાં આવી તે પહેલાથી આ ચશ્મા ગુમ છે. જો કે ગુજરાતમાં આવું પહેલી વાર નથી બન્યું આ પહેલા પણ ગાંધીના ગુજરાતમાંથી ગાંધીજી સમેત આંબેડકરજીની મૂર્તિઓ પરથી ચશ્મા ગાયબ થવાની ઘટનાઓ બની છે.

સાથે જ અનેક વાર આ મૂર્તિઓ પર લોકોએ કાળી શાહી ફેંકી હોવાની ઘટનાઓ પણ બની છે. નોંધનીય છે કે ગાંધીજી હંમેશા પોતાની મૂર્તિ મૂકવાનો વિરોધ કરતા આવ્યા છે. ત્યારે એક તરફ જ્યાં આપણે તેમને રાષ્ટ્રપતિ કહી 2 ઓક્ટોબરે વિવિધ કાર્યક્રમો યોજી તેમનું સન્માન કરી છીએ ત્યાં જ ગાંધીની જન્મભૂમિ પર જ તેમની મૂર્તિ સાથે આવી હરકત કરવામાં આવી છે. જે નિંદનીય છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
