ગુજરાત હવામાન સમાચાર: ફરી થશે ભારે વરસાદ, સક્રિય થયા એક સાથે 4 લો ડિપ્રેશન
Gujarat Rains, હવામાન સમાચાર: બંગાળની ખાડી અને વિદર્ભ વિસ્તારમાં એક સાથે ચાર ફ્લેમ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરીથી ભારે વરસાદની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગ દ્વારા 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટીના તહેવાર પર થયેલા ભારે વરસાદના કારણે ઘણા જિલ્લાઓમાં ઘોડાપૂર આવ્યું હતું. કેન્દ્રીય સમિતિ ટૂંક સમયમાં રાજ્યની મુલાકાત લેશે, અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરશે. જોકે, આ પહેલા પણ રાજ્યમાં ફરી પૂરનો ભય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલય ટીમની રચના કરવામાં આવી છે.
એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર, ટીમ ટૂંક સમયમાં ગુજરાતના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે, જ્યાં 25 અને 30 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો.
26 અને 27 ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હતા. આ પછી પણ પૂરના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો.
લોકોને બચાવવા આવેલા એક વ્યક્તિનું બોટ પલટી જતાં મોત - બોટાદ જિલ્લામાં સોમવારે એક નદીમાં બોટ પલટી જતાં યાત્રાળુઓને બચાવવા જતાં એક વ્યક્તિ ડૂબી ગયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
ગીર ગઢડાના તાલુકા વિકાસ અધિકારી અનિલ વાળાએ જણાવ્યું હતું કે, સોમવારે સવારે ખીજડિયા ગામ નજીક કાળુભાર નદીમાં આવેલા બેલનાથ મહાદેવ મંદિરે એક બોટ ચાર ભક્તોને લઈ જઈ રહી હતી, ત્યારે આ ઘટના બની હતી.

અનિલ વાળાએ જણાવ્યું હતું કે, કેટલાક સ્થાનિક લોકોએ આ ભક્તોને બચાવવા માટે તરત જ નદીમાં કૂદી પડ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ બચાવ કરનારાઓમાં સામેલ હરપાલસિંહ ગોહિલનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.
સર્જાઈ હતી વડોદરામાં પૂરની સ્થિતિ - વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ નદી ખતરાના નિશાનથી 37 ફૂટ ઉપર વહી રહી હતી. જેના કારણે 6,073 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 26 લોકોના મોત થયા છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ વચ્ચે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ 17,800 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાના કારણે વડોદરા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. તકેદારીના પગલા રૂપે પાવર ફીડર અને ટ્રાન્સફોર્મર બંધ કરી દેવામાં આવ્યા હતા. પૂરના પાણી ઓસર્યા બાદ લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે પમ્પિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
